Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022
જૂનાગઢના મામલતદાર તેજસભાઈ જોષીના બનેવી શ્રીરાજનું અવસાનઃ શુર્ક્રીવારે પ્રાર્થનાસભા

જૂનાગઢ : અમદાવાદ નિવાસી શ્રી રાજકુમાર ગીરીશભાઈ જોષી (ઉ.વ.૩૫) તે ગિરીશભાઈ ભાનુભાઈ જોષીના પુત્ર તેમજ જૂનાગઢના નિવાસી કિશોરભાઈ મણીશંકરભાઈ સંયાગોર (જોષી નિવૃત અધિકારી બીએસએનએલ)ના જમાઈ તેમજ જૂનાગઢ શહેરના મામલતદાર તેજસભાઈ કિરીટભાઈ જોષીના બનેવીનું તા. ૧૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા અને બેસણું તા. ૨૪ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ ૩, ગીરીરાજ સોસાયટી બ્‍લોક નં.૩૩ બસ સ્‍ટેન્‍ડ પાછળ જૂનાગઢ ખાતે રાખેલ છે.

 

અવસાન નોંધ

સુખદેવગીરી ગોસાઇ

રાજકોટઃ સુખદેવગીરી ગજરાજગીરી ગોસાઇ(ઉ.વ. ૮૨) તેઓ ચેતનગીરી, પરેશગીરી, કૌશીકગીરીના પિતાશ્રીનું તા.૨૦ ને સોમવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્ગતનુ બેસણું તા. ૨૩ ગુરૃવારે સાંજે ૪ થી ૬ શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદીર, રામપાર્ક મેઇન રોડ, યુનિ. રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૯૯૮૫૧૪૭૫૫

પ્રવિણભાઇ વસા

રાજકોટઃ પ્રવિણચંદ્ર ચત્રભુજ વસા (ઉ.વ.૭૯) તેઓ નિર્મળાબેન વસાના પતિ, વિશાલ વસા (એચઓડી હરીવંદના કોલેજ-રાજકોટ), પ્રિયલ આનંદ શાવડીયા (કટક), કવિતા તુષાર મહેતા (રાજકોટ), ભાવિકા પંકિલ લુકકડ (મુંબઇ) ના પિતાશ્રી તથા  દેવિકા વસાના સસરા તેમજ હિવાના દાદા તથા ભૂપતભાઇ અને અરૂણભાઇના  ભાઇશ્રી તેમજ પ્રેમચંદભાઇ-હડમતીયાના જમાઇ તથા જે.પી.ગાંધીના બનેવીશ્રી તા.૨૦ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્‌ગતનું ઉઠમણું તા.૨૩ને ગુરૂવારના રોજ સવારે ૧૦ વાગ્‍યે, વર્ધમાન નગર જૈન ઉપાશ્રય, પેલેસ રોડ, રાજકોટ ખાતે તથા સદ્‌ગતની પ્રાર્થનાસભા તા.૨૩ને ગુરૂવારના રોજ સવારે ૧૧થી ૧૨, શ્રી વિસાની વાડી, ૧૧-કરણપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

હેતલબેન લીંબડા

રાજકોટઃ શ્રી મચ્‍છુ કડીયા સઇ સુથાર જ્ઞાતી (બાલંભાવાળા) હાલ રાજકોટ નિવાસછ શ્રી પ્રવિણકુમાર બાબુલાલ લીંબડની દિકરી શ્રી હેતલબેન પ્રવિણકુમાર લીંબફ (ઉ.વ.૪૨) તે પારૂલબેન રમેશકુમાર મકવાણાની નાનીબેન તથા તેજસભાઇ પી.લીંબડ, અમિતભાઇ પી. લીંબડના મોટાબેનનું તા.૨૧ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તેમના નિવાસ સ્‍થાન તા.૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૫થી ૬ હાથીખાના શેરી નૅ.૩, રાજકોટ ખાતે રાખેલ છે. કુસુમબેન પ્રવિણભાઇ લીંબડ મો.૯૮૯૮૯ ૬૦૭૯૩, તેજશભાઇ લીંબડ મો. ૯૯૯૮૮ ૩૪૩૪૭, અમિતભાઇ લીંબડ મો. ૮૦૦૦૩ ૨૦૩૮૮

વાઘજીભાઇ ઘવા

ગોંડલ-વાઘજીભાઇ જાદવભાઇ ધવા તે વારીશભાઇ તથા કલ્‍પેશભાઇના પિતાશ્રીનું તા.૧૯ના અવસાન થયુ છે બેસણું: તા.૨૩ ગુરૂવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાન તિરુમાલા ગોલ્‍ડ, આઇટીઆઇ પાછળ ગોંડલ રાખેલ છે.

અવસાન નોંધ

રતિભાઇ જસાણી

રાજકોટઃ સ્‍વ. રતિભાઇ મેઘજીભાઇ જસાણી(ઉ.વ. ૬૫) તે જયેશભાઇ તથા પ્રશાંતભાઇ(લાલાભાઇ)ના પિતાશ્રીનું તા. ૧૯ ને રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્‌ગતનું બેસણું તા. ૨૩ને ગુરુવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે ગોવિંદનગર શાંતેશ્વર મંદિર રાજકોટ ખાતે રાખેલ છે.જયેશભાઇ રતિભાઇ જસાણી મો. ૮૭૩૩૮૫૧૩૫૧

રાજેશભાઇ ટાંક

રાજકોટઃ સ્‍વ. રાજેશભાઇ  ટાંક (ઉ.વ.૫૨) (કોટેચા સ્‍કુલ વાળા) ને સ્‍વ. વિનોદ રતીલાલ ટાંકના  પુત્રનું તા. ૨૦ ના રોજ અવસાન થયેલ છે તે હસમુખ રતીલાલ ટાંક ના ભત્રીજા તે  ચંદ્રકાંત અને મુકેશભાઇ ના નાનાભાઇ તેમજ અક્ષયના પિતા. તેમનુ બેસણું તા.૨૩ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ ગાયત્રીનગર ૨/૧૦, ભીમનાથ મહાદેવ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે. મુકેશભાઇ ટાંક -મો. ૯૭૧૪૬૫૬૯૯૩, અક્ષય ટાંક- મો.૯૫૧૦૩૧૦૨૮૭