Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021
ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શિવલાલભાઇ ઘોડાસરાનું અવસાન

ટંકારાઃ રાજકીય ક્ષેત્રે વર્ષો સુધી પ્રજાલક્ષી પ્રશ્નોને સાંભળી નિરાકરણ લાવનાર જમીની નેતા તરીકે ખ્યાતનામ તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ શિવલાલભાઈ ધોડાસરાનુ દુઃખદ અવસાન પંથકમાં શોકની લાગણી અનેક હસ્તીઓએ શોક વ્યકત કર્યો તેમના પુત્ર જીલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને જુનાગઢ અને દ્વારકા આંબા ભગતની જગ્યાના પ્રમુખ હરેશભાઈએ જણાવ્યું કે નાદુરસ્ત તબિયતને લીધે માદરે વતન દેવડીયા જ હતા જયાં વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

ટંકારાના દેવળીયા નિવાસી શિવલાલભાઈ વાલજીભાઈ ઘોડાસરા ઉ. વ. ૭૧નું દુઃખદ અવસાન થયું છે તેઓ ટંકારા તાલુકા પંચાયત ના માજી પ્રમુખ સાથે દશકો સુધી ક્રોગેસના સંગઠનની મુખ્ય જવાબદારી નિભાવી હતી ખેડુતો વંચિત અને તાલુકાની પ્રજાના પ્રશ્ર્નોને લઈને હમેશા અવાજ ઉઠાવ્યો છે અને ભણતર નહી પરંતુ કોઠા સુઝ થી નાના ગામડા નો માણા ટંકારા ઉપરાંત ગુજરાતના રાજકારણમાં કાયમી નામ ગુંજતુ કર્યુ હતું છેલ્લા ઘણા સમયથી વય મર્યાદાને કારણે પોતાની જન્મ ભુમી ખાતે હરી ભજન અને સેવાકાર્યો સાથે જોડાઈ રહા હતા ત્યારે આજે વહેલી સવારે લોક લાડીલા અને હસમુખ સ્વભાવના બાપાએ આ ફાની દુનિયાને અલવિદા કહી હતી તેમના મૃત્યુના સમાચારથી ટંકારા પંથક ઉપરાંત રાજકીય સામાજિક સંગઠનોએ શોક વ્યકત કર્યો છે.

તેમના પુત્ર હરેશભાઈ ઘોડાસરા જે મોરબી જીલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને આંબા ભગત આશ્રમ જુનાગઢ અને દ્વારકાના પ્રમુખ છે જેણે આ માહિતી આપી હતી બેસણુ તા.૨૨ના બપોરે ૨ થી ૫ વાગ્યા સુધી દેવળીયા મુકામે તેમના નિવાસસ્થાને રાખેલ છે ટેલીફોનિક બેસણું ૯૭૨૫૩૧૪૧૮૨ ઉપર રાખેલ છે.

અવસાન નોંધ

કૃષ્ણાબા જાડેજા

રાજકોટઃ વચલી ઘોડી નિવાસી હાલ રાજકોટ કૃષ્ણાબા ગજુભા જાડેજા (ઉ.વ.૯૧) તે દિપકસિંહ ગજુભા જાડેજા (એસટીરાજકોટ)ના માતુશ્રી તથા વિશ્વરાજસિંહ દિપકસિંહ જાડેજા તથા મહિપાલસિંહના દાદીમાંનું તા.૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ લક્ષ્મીવાડી શેરી નં.૩ ખાતે નિવાસ સ્થાને રાખેલ છે. દિપકસિંહ મો. ૯૯૨૫૮ ૦૦૦૩૩, વિશ્વરાજસિંહ મો.૯૫૫૮૭ ૦૦૫૦૦

રંજનબેન કારીયા

રાજકોટઃ નિવાસી સ્વ. હર્ષદભાઇ ધીરજલાલ કારીયાના ધર્મપત્નિ તે રંજનબેન હર્ષદભાઇ કારીયા, તે કલ્પેશ તથા ધર્મેન્દ્ર તેમજ પુજાબેન, સંદીપકુમાર માખખના માતુશ્રી તથા સ્વ. મોહનલાલ વિઠલજી દુવાણીની સુપુત્રી તથા સ્વ. સુરેશભાઇ, જયંતીભાઇ તથા હસમુખભાઇના બહેનનું  દુઃખદ અવસાન તા.૨૦ના થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદડી તા.૨૨ શુક્રવારના સાંજે ૪ થી ૫ વાગ્યા સુધી રાખેલ છે. મો. કલ્પેશ ૯૯૧૩૦૦૩૦૮૬, ધર્મેન્દ્ર ૮૭૫૮૫ ૮૫૮૪૮, નિલેશભાઇ (મોસાળપક્ષ) ૯૮૨૫૮ ૪૦૫૧૦

જીવાભાઇ ચૌહાણ

કોડીનાર : કોળી સમાજના કોટવાળ જીવાભાઇ રામભાઇ ચૌહાણ (ઉ.વ.૬૬) તે જેન્તીભાઇ અને જેશીંગભાઇના મોટાભાઇ તેમજ મનોજભાઇ અને રવિભાઇના પિતા તેમજ રોહિતભાઇ, પરાગભાઇ, કેવલભાઇ અને મિતના બાપુજીનું તા. ૧૯ના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. રર ને શુક્રવારે જાનબાઇ મંદિર પાસે હોલમાં સવારે ૯થી બપોરે ૧ વાગ્યા સુધી રાખ્યું છે.

અજયભાઇ સચદેવ

જામજોધપુર (અમરાપર સેતા) : સ્વ. વનરાવનદાસ સચદેવના પુત્ર અજયભાઇ વનરાવનદાસ સચદેવ (ઉ.વ.૪૭) તે ક્રિશ તથા મનોજભાઇ તથા સ્વ. ધારેશભાઇ, સંજયભાઇ, પરેશભાઇ, ભાવનાબેન ગઢીયા (સણોસરી), નીતાબેન કોટેચા (મોડપર), જાગૃતિબેન કોટેચા (મોડપર)ના ભાઇનું તા. ૧૯ને મંગળવારે અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું આજે તા. ર૧ના ૩ થી પ  પાંચ દરમિયાન રાખેલ છે.

ડો.નટવરલાલ જોષી

ગોંડલઃ સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ નાગવદર હાલ ગોંડલ નિવાસી ડો.નટવરલાલ જે.જોષી (ઉ.વ.૭૬) તે મનસુખભાઇ જે.જોષી (રાજકોટ), શાસ્ત્રી કિશોરચંદ્ર જે. જોષી (ગોંડલ)ના ભાઇ તે ચંદ્રેશભાઇ જોષી (જુનાગઢ), શૈલેષભાઇ જોષી (ગોંડલ) તથા ચેતનાબેન આર.ભટ્ટ (જુનાગઢ)ના પિતા, નયનભાઇ જોષી (રાજકોટ)ના કાકા, નિખિલભાઇ જોષી (ગોંડલ)ના ભાઇજી અને કૃતાર્થના દાદા તથા નવલશંકર જગજીવન પંડયાના બનેવીનું તા.૨૦ના અવસાન થયું છે. ઉઠમણું માસ્ક અને સોસીયલ ડીસટનસીસ સાથે તા.૨૨ શુક્રવારના ૪ થી ૬ વાગ્યે કાશીવિશ્વનાથ મંદિર ગોંડલ રાખેલ છે.

મનસુખભાઇ વૈષ્ણવ

મોરબીઃ મૂળ નાની બરાર હાલ મોરબી મનસુખભાઇ હિરાદાસજી વૈષ્ણવ (નિવૃત પોસ્ટમેન) તે દીપકભાઇ અને વિશાલભાઇ પિતા તેમજ અનિરૂધ્ધભાઇ, જીતેન્દ્રભાઇ, સંજયભાઇ અને વિપુલભાઇના કાકા તેમજ અંકિત અને ગૌતમના મોટાબાપુ તથા વૈષ્ણવ મગનભાઇ ભાણદાસજીના ભત્રીજા તા.૨૦ના રોજ રામચરણ પામેલ છે.

મોરબીના લાભકુંવરબેન દોશીનું ૧૦૩ વયે અવસાન

મોરબીઃ લાભકુંવરબેન રતિલાલ દોશી (ઉ.વ.૧૦૩) તે અશોકભાઇ અને પ્રફુલ્લભાઇ જટાશંકર દોશીના ભાભુ તા.૧૯ના રોજ અરીહંતશરણ પામેલ છે. હાલની સ્થિતિને પગલે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

માણેકબેન કૈલા

મોરબીઃ વેજલપર નિવાસી માણેકબેન વિનુભાઇ કૈલા (ઉ.વ.૬૦) તે વિનોદભાઇ જસમતભાઇ કૈલાના પત્નિ તેમજ જયદીપના માતા અને કાનજીભાઇ કૈલાના ભાભી તા.૨૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે.

ભાઇલાલભાઇ રાઠોડ

રાજકોટઃ રાજકોટ નિવાસી ભાઇલાલભાઇ નભુભાઇ રાઠોડ (ઉ.વ.૮૧) તે હિરેનભાઇ તથા ચંદ્રેશભાઇના પિતા તથા કિશોરભાઇના મોટાભાઇનું તા.૧૯ મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું તા.૨૨ના સાંજે ૪ થી ૬ વાવડી મુકામે રાખેલ છે. મો.નં.૯૦૯૯૨ ૦૭૩૮૮, મો.નં.૭૩૫૯૫ ૧૫૯૨૫ છે.

ભરતભાઇ કોટક

રાજકોટઃ ભરતભાઇ ખીમજીભાઇ કોટક (રીટાયર્ડ જીલ્લા પંચાયત-રાજકોટ) (ઉ.વ.૬૮) જેઓ હર્ષના પિતાજી, તથા મહેન્દ્રભાઇ-મનીષભાઇ, જયશ્રીબેન શૈલેષભાઇ દત્તા, મીનાબેન ધર્મેશભાઇ આહ્યા, પારૂલબેન મનીષભાઇ બદીયાણીના મોટાભાઇશ્રી, તથા નવીનભાઇ નાનજીભાઇ જોબનપુત્રા રાજકોટ વાળાના જમાઇ તા.૧૯ના દેવલોક પામ્યા છે. સદગતનું બેસણું ટેલીફોનીક તા.૨૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬માં રાખેલ છે.

વીરેન્દ્રભાઇ માવાણી

રાજકોટઃ વિરેન્દ્રભાઇ માવાણી તે નીતાબેનના પતિ, મિલી ઇશિતા અને પ્રતિકના પિતા, રૂપમબેન ત્રિકમાનીના ભાઇ તેમજ સ્વ.હિંમતલાલ ગણાત્રાના જમાઇ તથા યજ્ઞેશભાઇ ગણાત્રાના બનેવીનું તા.૨૦ના દુઃખદ અવસાન થયું છે. બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૧ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. (પ્રતિક માવાણી મો.નં.૮૦૯૫૫૫૨૧૮૫, નીતાબેન માવાણી મો.૯૪૦૯૨૫૮૭૬૭, હાર્દિક ગણાત્રા મો.૯૬૮૭૬૧૨૪૮૧ છે.

વિભાબેન ગોહેલ

વાંકાનેરઃ મનસુખભાઇ હીરજીભાઇ ગોહેલ (ટીનાભાઇ)ના પત્નિ વિભાબેન (ઉ.વ.પ૧) તે ઉર્વી તથા પ્રિયાંશીના માતૃશ્રીનું તા.૧૯ના અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૨૨ શુક્રવારે સાંજે ૪ થી ૫ રામજી મંદિર (રજપુત સમાજની વાડી) રામચોક વાંકાનેર ખાતે રાખેલ છે.

નર્મદાબેન જોષી

રાજકોટ :  ઓદિચ્ય ગઢિયા બ્રાહ્મણ ગં. સ્વ. નર્મદાબેન નરભેશંકર જોષી (ઉ.વ. ૮૮), જે નીતિનભાઇ જોષી, મુકેશભાઇ જોષી, કિરીટભાઇ જોષી, જશુબેન જે. મહેતા અને હસુબેન કે. વ્યાસના માતુશ્રીનું તા. ર૦ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ર૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૫  કલાકે રાખેલ છે. મો. ૯૭ર૭૯ પર૮૧૯ અને ૯૯૦૯૪ ૦૦૩૦૭

પન્નાબેન પંડયા

રાજકોટઃ મહારાજયશ્રી ઘેલારામજી ઔદીચ્ય ગોહીલવાડી બ્રાહ્મણ જ્ઞાતીના મહાદેવભાઇ રતિલાલ પંડયાના પુત્ર તથા ચિરાગ પંડયાના નાનાભાઇ, નિરજ પંડયાના ધર્મપત્નિ અ.સૌ પન્ના નિરજ પંડયા (ઉ.વ. ૪૩) તે લિના અનુષકુમાર રાજયગુરૂ (વડોદરા) નાં ભાભી તથા સ્વપપ્નિલ અને દેવાંશીના માતુશ્રી દિપ તથા વેદાંતના કાકી, તે કણઝા નિવાસી હર્ષદભાઇ મહાશંકરભાઇ પંડયાના પુત્રી તથા ધવલ પંડયા (સુરત) તથા વંદનાબેન વ્યાસ (જામકંડોરણા) નાં મોટા બહેનનું તા. ૨૦ને બુધવારના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૨ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. હાલની પરિસ્થિતી ને કારણે તમામ લોકિક ક્રિયા મોફક રાખેલ છે. નિરજ પંડયા  ૯૬૨૪૯ ૧૧૯૧૧, ચિરાગ પંડયા ૯૭૧૪૫ ૦૩૭૧૯, સ્વપ્નિલ પંડયા ૮૧૬૦૨ ૭૩૦૨૪.

ખુશ્બુબેન ભુવા

રાજકોટઃ નિવાસી સુરેશભાઇ દેવરાજભાઇ ભુવાની  પુત્રી ખુશ્બુબેન (ઉ.વ.૨૩) નું તા.૧૯ મંગળવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૨૧ને   સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. દેવરાજભાઇ પોલાભાઇ ભુવા, સુરેશભાઇ દેવરાજભાઇ ભુવા - ૯૮૭૯૩ ૦૫૨૫૪, રાજેશભાઇ દેવરાજભાઇ ભુવા ૯૮૨૪૮ ૪૪૭૪૮, મેહુલભાઇ સુરેશભાઇ ભુવા - ૭૩૫૯૨ ૮૫૮૯૮

ગુણવંતીબેન જોગી

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય ગુણવંતીબેન મનસુખલાલ જોગી (ઉ.વ. ૮૫) તે રમેશ, નિતીન, જીતેન્દ્ર ના માતુશ્રી તા. ૧૯ને મંગળવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૨૧ ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૪૨૭૬ ૩૩૩૮૪, ૯૬૩૮૭ ૮૧૬૪૩, ૯૦૧૬૧ ૭૯૪૧૧

લાભુબેન જોષી

રાજકોટઃ ભેડા પીપળીયા નિવાસી હાલ રાજકોટ જેન્તીભાઇ હરીશંકરભાઇ જોષીના ધર્મપત્નિ સ્વ. લાભુબેન જેન્તીભાઇ જોષી (ઉ.વ.૬૦) નું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયું છે. તે અશોકભાઇ, જયેશભાઇ તથા અલ્પાબેન કૌશીકકુમાર રવિયા (જુનાગઢ)ના માતુશ્રી થાય. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન  અશોકભાઇ મો.૭૮૭૪૪ ૦૦૦૦૨, જયેશભાઇ ૯૮૯૮૬ ૮૮૦૧૦

હબીબભાઇ કુરેશી

અમરેલી :.. હબીબભાઇ કરીમભાઇ કુરેશી જી. વાળા તા. ર૦ ના અલ્લાહની રહેમતમાં  પહોંચી ગયા છે તેમની જીયારત તા. રર ને શુક્રવારે સવારે ૯ કલાકે અરબવાડા મસ્જીદ કસ્બાવાડ અમરેલીમાં ભાઇઓની રાખેલ છે અને ઔરત (બહેનો) ની જીયારત સિપાઇ જમાતખાના કસ્બાવાડ અમરેલીમાં રાખવામાં આવેલ છે.

કાળુભાઇ દામાણી

અમરેલી : કાળુભાઇ વશરામભાઇ દામાણી ઉ.૬૪ તે પોપટલાલ કાશ્મીરાવાળાનાં મોટાભાઇનું તા. ર૦ નાં અવસાન થયેલ છે. બેસણું તા. રર ને શુક્રવારે સાંજે ૪ થી ૬ મીરા બ્લોક નં. ૯૬, ઓમનગર, ચિતલ રોડ, અમરેલીનાં નિવાસ સ્થાને રાખેલ છે.