Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021
મુળી (પરમાર)ના પુર્વ સરપંચના ધર્મપત્નિ અને કુવાડવાના હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણાના માતુશ્રીનું નિધન

ટીકર (પરમાર) તા. મુળી નિવાસી પૂર્વ સરપંચ દલાભાઇ મોહનભાઇ મકવાણાના ધર્મપત્નિ જશુબેન મકવાણા (ઉ.વ.૭૦) તે પિતાંબરભાઇ મોહનભાઇ, શિવાભાઇ મોહનભાઇના ભાભી તથા નંદલાલભાઇ, અરવિંદભાઇ મકવાણા (ડી. સ્ટાફ હેડકોન્સ્ટેબલ કુવાડવર રોડ પોલીસ સ્ટેશન)ના માતુશ્રી તેમજ અજીતભાઇ પિતાંબરભાઇ, અમિતભાઇ પિતાંબરભાઇ અને કિરણભાઇ શિવાભાઇના ભાભુનું તા. ૧૪/૯ના અવસાન થયું છે.

જામનગરના ઠા. ખેતશીભાઇ પોબારૂનું અવસાન : ગુરૂવારે ટેલીફોનિક બેસણુ

આટકોટ : મુળ રાજકોટ અને હાલ જામનગર રહેતા ઠા.ખેતશીભાઈ દામજીભાઈ પોબારૂ ઉ.વર્ષ ૮૮ તે સ્વ.જયાબેન પોબારૂના પતિ ધીરજલાલ, સુરેશભાઈ, મહેશભાઈ, નીતાબેન શીંગાળા, છાયાબેન કોટેચા તથા પુનમબેન વસાણીના પિતાશ્રી તા.૧૯ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે.

સદગતનુ ટેલીફોનીક બેસણુ તા.૨૩ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધીરૂભાઈ મો.નં ૯૪૨૮૫ ૭૦૬૭૬, સુરેશભાઈ મો.નં ૯૩૧૬૫ ૩૩૭૯૨, મહેશભાઈ મો.નં ૯૮૨૪૮ ૯૦૭૬૭.

અવસાન નોંધ

વસંતભાઇ રાજયગુરૂ

રાજકોટઃ મહારાજ શ્રી ઔદિચ્ય ઘેલારામજી ગોહિલવાડી ઔદિચ્ય બ્રાહ્મણ વસંતભાઇ ગીરધરભાઇ રાજયગુરૂ તેઓ નિલેશભાઇ, ઉદયભાઇ તથા પ્રિતીબેનના પિતાશ્રી તથા અજયકુમાર મગનલાલ જોશીના સસરા તેમજ સ્વ. ગોપાલજીભાઇ રાવલ(નાગપૂર)ના જમાઇનું તા. ૧૯ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલિફોનિક બેસણું તા. ૨૦ને સોમવારના રોજ સાજે ૪ થી ૬ રાખેલ છે. (મો. ૭૯૮૪૫ ૫૮૨૨૭, ૯૧૦૬૩ ૬૫૧૮૦)

મધુબેન ચોટલીયા

રાજકોટઃ જુનાગઢ નિવાસી સ્વ. હરીભાઇ મનજીભાઇ ચોટલીયાના ધર્મપત્નિ મધુબેન હરીભાઇ ચોટલીયા (ઉ.વ.૬૮) તે નિતેષ તથા મનોજના માતુશ્રીનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૦ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન શ્યામદત એપાર્ટમેન્ટ, સદગુરૂ પાર્ક, વાડલા ફાટક રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

ચંદ્રીકાબેન વસાણી

રાજકોટઃ સ્વ. ચંદ્રીકાબેન (ઉ.વ.૭૬) તે જેન્તીલાલ નાનજીભાઇ વસાણીના ધર્મપત્નિ તે નિલેષભાઇ પુજાબેનના માતા તે વ્રજલાલ ગોપાલજી ખખ્ખર (ખડકપુર-બંગાળના) પુત્રી તે દિનેશભાઇ ખખ્ખરના બહેન તે તા.૧૮ શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૦ને સોમવારે સાંજે ૪ થી ૫ રાજારામ સોસા શેરીનં.૧ સંતકબીર રોડ સોમેશ્વર મંદિરે ખાતે રાખેલ છે. નિલેશભાઇ મો.૯૮૨૪૮ ૯૨૬૭૧, સેજલબેન ૯૪૨૯૯ ૮૧૦૭૦, શશીભાઇ ૯૪૦૮૦ ૪૧૩૩૭

રમણીકભાઇ ભટ્ટ

રાજકોટ : શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના મૂળ ગામ રાજપરા હાલ રાજકોટ નિવાસી રમણીકભાઇ ગિરજાશંકરભાઇ ભટ્ટ (ઉવ.૬૮) તે સ્વ. ગિરજાશંકરભાઇ મોરારજીભાઇ ભટ્ટનાં પુત્ર, તે સ્વ. કાંતિભાઇ, સ્વ. નટુભાઇ, અનંતભાઇ, સ્વ. વિનુભાઇના ભાઇ, તે રાકેશભાઇ, ગીતાબેન એસ.જોષી, જાગૃતિબેન એમ જોષીનાં પિતાશ્રીનું તા. ૧૭ના અવસાન થયું છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨૦ના સોમવારે ૯ થી ૫ રાખેલ છે.