Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022
મોટીપાનેલી કોળી સમાજના પ્રમુખ ભુરાભાઇ દેગામાનુ અવસાન

મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકા ના મોટી પાનેલીમાં સૌથી મોટો સમુદાય એવા કોળી સમાજમાં શોકનું મોજું ફરી વળ્‍યું હતું પાનેલીમાં વિશાળ સમુદાય ધરાવતા કોળી સમાજના પ્રમુખશ્રી ભુરાભાઇ દેગામાનું બીમારી સબબ આશરે પંચાવન વર્ષની નાની ઉંમરે દુઃખદ અવસાન થતા સમાજમાં શોકનું મોજું પ્રસરી ગયેલ છે છેલ્લા સાતેક વર્ષથી ભુરાભાઇ કોળી સમાજના પ્રમુખ રહેલા હોય સમાજમાં એકતા અને યુવાનોમાં નવો જોશ પુરવા પ્રયત્‍નશીલ હતા અંદાજે ચાર થી પાંચ હજારની વસ્‍તી ધરાવતા વિશાળ કોળી સમુદાયને ભુરાભાઇના આમ અકાળે વિદાય લેવાથી ભારે દુઃખ સાથે એક બહુમૂલ્‍ય વ્‍યક્‍તિ ગુમાવવાનો શોક વ્‍યાપેલ છે ભુરાભાઇ ના દુઃખદ અવસાન ની જાણ થતા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક સહિતના સામાજિક રાજકીય આગેવાનો સાથે અન્‍ય સમાજના આગેવાનો સંસ્‍થાના કાર્યકરોએ દુઃખની લાગણી બતાવી ભારે શોક પ્રગટ કરેલ છે.ઈશ્વર પરમ આત્‍માને શાંતિ અર્પે તેવી સર્વ સમાજના લોકોએ પ્રાર્થના કરેલ છે.

અવસાન નોંધ

સરોજબેન કુરાણી

રાજકોટઃ રાજકોટ નિવાસી દશા સોરઠીયા વણિક સ્વ. સરોજબેન કિશોરચંદ્ર કુરાણી (ઉ.૭૭) તે સ્વ. કિશોરભાઇ વલ્લભદાસ કુરાણીના પત્નિ, જેઠાલાલ લીલાધર વખારિયાના પુત્રી, રાજેન વખારિયાના બહેન, તેજસ–ઇલ્પા–શિલ્પાના માતૃશ્રી તે મનીષ–સમીર તથા કોમલના સાસુની પ્રાર્થના સભા તા.૧૮ને ગૂરૃવારના રોજ પારસ કોમ્યુનિટી હોલ, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ મુકામે સાંજે ૪થી ૬ વાગ્યા સુધી રાખેલ છે.

નિલેશભાઇ પેશાવરીઆ

રાજકોટઃ ગુર્જર સુથાર, નીલેશભાઇ જયંતીભાઇ પેશાવરીઆ (ઉ.૫૫) (પેશાવરીઆ બ્રાસ–રાજકોટ વાળા) જયંતિભાઇ રવજીભાઇ પેશાવરીઆના પુત્ર, પરેશભાઇ જયંતીભાઇ પેશાવરીઆના નાનાભાઇ, આરતીબેન વિજયકુમાર વડગામાના ભાઇ, વર્ષાબેન નિલેશભાઇ પેશાવરીઆના પતિ, જીસ્નુભાઇ, મોનીકાબેનના પિતાશ્રી તેમજ સ્વ. વનમાળીદાસ દોમાદરદાસ જાદવાણી (તુડાવાળા)ના જમાઇનું તા.૧૪ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું: તા ૨૦ શનિવાર, સાંજે ૪થી ૬ કલાકે રાજકોટ વિશ્વકર્મૌ કેળવણી મંડળ ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. જીસ્નુભાઇ પેશાવરીઆઃ ૮૨૬૪૦ ૫૬૫૬૯, ૯૮૯૮૨ ૩૨૪૨૫, પેશાવરીઆ બ્રાસ–રાજકોટ

શૈલેન્દ્ર રાજાણી

રાજકોટઃ મૂળ મોઝામ્બીક નિવાસી હાલ અમદાવાદ, શૈલેન્દ્ર મનહરલાલ રાજાણી(ઉ.૪૩) તે મનહરલાલ પ્રભુદાસ રાજાણી તથા નલીનીબેન મનહરલાલ રાજાણીના પુત્ર ડોલરરાય વિઠલદાસ તન્ના (સલાયા નિવાસી)ના  જમાઇ તા.૧૫/૮/૨૦૨૨, સોમવારના રોેજ ચંચાઇ (મોઝામ્બીક) મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી તા.૨૦ શનિવાર, સાંજે ૫થી ૬ કલાકે સ્થળઃ કોમ્યુનિટી હોલ, ઓર્ચિડ એલીગન્સ, સફલ પરિસર, ગાલા મારવેલની સામે, સાઉથ બોપલ, અમદાવાદ મુકામે રાખેલ છે. મો. ૯૧૭૩ ૬૨૫૭૫૦

ભારતીબેન પિત્રોડા

ગોંડલ : ધનજીભાઇ વાલજીભાઇ પિત્રોડા ના પત્‍નિ ભારતીબેન ઉ.૬૮ તે જીતુભાઇના માતુશ્રી હસમુખભાઇ, ગોપાલભાઇ, અરવિંદભાઇ, પરેશભાઇ, અતુલભાઇ તથા સંજયભાઇના કાકીનું તા. ૧૭ ના અવસાન થયુ છે. બેસણુ તા. ૧૯ શુક્રવાર સાંજે ચાર થી છ, લુહાર જ્ઞાતિની વાડી સ્‍ટેશન પ્‍લોટ ખાતે રાખેલ છે.

પ્રાણશંકરભાઇ રવિયા

જુનાગઢ : રાજગોર બ્રાહ્મણ મુળ મોટી ખીલોરી હાલ રાજકોટ નિવાસી સ્‍વ. પ્રાણશંકરભાઇ હીરજીભાઇ રવિયા, તે સ્‍વ. ચંપાબેનના પતિ, દિનકરભાઇ, સ્‍વ. ચંદુભાઇના મોટાભાઇ, ચંદ્રીકાબેન, નયનાબેન, મનોજભાઇના પિતાશ્રી તા. ૧૮ ને ગુરૂવારે કૈલાશવાસી થયેલ છે.

લીલાબેન જોશી

રાજકોટઃ નિવાસી લીલાબેન કિશોરભાઇ જોશી (ઉ.૫૯) કિશોરભાઇ પોપટભાઇ જોશીના ધર્મપત્‍નિ તે કાજલબેન અને ગીતાબેનના માતૃશ્રી તા.૧૭ને બુધવારના રોજ સ્‍વર્ગવાસ પામેલ છે. તેમનું સદ્દગતનું બેસણું તા.૨૦ને શનિવાર સાંજે ૪થી ૬ વાગ્‍યે સોમનાથ મંદિરે કોઠારીયા મેઇન રોડ, રણુજા મંદિરની પાછળ સોમનાથ સોસાયટી શેરી નં.૬ ખાતે રાખેલ છે. કિશોરભાઇ પોપટભાઇ જોશી મો. ૯૬૬૨૨ ૦૦૭૫૦