Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022
જેતપુરના ગૌ.વા છોટાલાલ ભુપ્‍તાનું અવસાન : સાંજે ઉઠમણુ

જૂનાગઢ : જેતપુર નિવાસી ગૌ વા. છોટાલાલ કેશવજી ભુપ્‍તા (ઉ.વ. ૮૦) તે નિલેશભાઈના તેમજ  નીતા વિજયભાઈ ચાન્‍દરાની - મેંદરડા , ભાવના ભરતભાઈ નથવાણી -પાનેલી , શીતલ મિતુલભાઈ ગણાત્રા -વડીયાદેવળીના   પિતા તેમજ રાજના દાદા તથા અનિલભાઈ તેમજ મનીષભાઈ ગોરધનભાઈ ભુપ્‍તા ના કાકાનું આજરોજ તારીખ ૦૯/૧૨/૨૦૨૨ ના રોજ અવસાન થયેલ છે. .સદગત નું ઊઠમણું  આજે તારીખ ૦૯/૧૨/૨૦૨૨ શુક્રવારે  સાંજે ૦૫-૦૦ થી ૦૬-૦૦ શામનાથ મંદિર  દેસાઈવાડી જેતપુર ખાતે  રાખેલ છે.

રાઠોડ પાન (કેનાલ રોડ) વાળા અનિલભાઇ રાઠોડનું અવસાનઃ કાલે બેસણુ

રાજકોટ : રાજકોટ નિવાસી રાઠોડ પાન (કેનાલ રોડ) વાળા અનિલભાઇ માનસિંહભાઇ રાઠોડ (ઉ.વ.૭૧) નું તે જીગરભાઇના પિતા તથા રાજૂભાઇના મોટાભાઇ, આકાશભાઇ, આદિત્‍યભાઇ, હર્ષ, સોમીલ, અક્ષીત તથા યશના દાદાનું તા. ૮ ને ગુરૂવારે અવસાન થયું છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ૧૦ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે લક્ષ્મીવાડી ૧૦/૧ર નો ખુણો, રાઠોડ હાઉસ, રાજકોટ ખાતે રાખેલ છે.

નારાયણીદેવી સાગરનું અવસાન : શનિવારે બેસણું

રાજકોટ, તા. ૯ : નારાયણી ત્રિકમસિંહ સાગર (ઉ.વ.૮૦) તે આર.એસ. સાગરના ધર્મપત્‍ની તથા રાકેશ સાગર અને દિનેશ સાગરના માતૃશ્રી તેમજ વેસ્‍ટર્ન  રેલવેના ડેયુટી ચીફ કોમર્શિયલ મેનેજર (કેટરીંગ) શૈલેન્‍દ્ર ચૌધરીના સાસુમાનું તા. ૮ ને ગુરૂવારે અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ૧૦-૧ર-ર૦રર શનિવાર સાંજે ૪ થી ૬ સુધી રાખેલ છે. સાંઇબાબા સોસાયટી, સાંઇબાબા મંદિર, રેલનગર સોસાયટી રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

દિવ્‍યાબેન વ્‍યાસ

રાજકોટઃ ઔદિચ્‍ય ખરેડી બ્રાહ્મણ સ્‍વ. અ.સૌ. દિવ્‍યાબેન (દકીબેન) તે હરસુખલાલ મનસુખલાલ વ્‍યાસના ધર્મપત્‍ની  તેમજ અભિષેકભાઈ,જયશ્રીબેન દીપકકુમાર જોશી (જેતપુર), દીપાબેન હિતેશભાઈ જોશી (જૂનાગઢ), જલ્‍પાબેન હરેશભાઇ દવે (રાજકોટ)ના માતુશ્રી, સ્‍વ.રમેશભાઈ મનસુખભાઇ વ્‍યાસ (ધોરાજી)ના નાનાભાઈના ધર્મપત્‍ની તેમજ ચન્‍દ્રકાન્‍તભાઈ પ્રાણશંકરભાઈ વ્‍યાસ (પાળ)ના બહેનનું તા. ૮ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગત નું બેસણું તા.૧૦ને શનિવાર ના રોજ ૩ થી ૫ તેમના નિવાસ સ્‍થાન ‘નેમિનાથ એપાર્ટમેન્‍ટ ' પટેલ ચોક પાસે નાગેશ્વર જૈન દેરાસર પાછળ જામનગર રોડ રાજકોટ મુકામે રાખેલ છે.

વિદુલાબેન ત્રિવેદી

જામનગર : ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ વિદુલાબેન પ્રભુલાલ ત્રિવેદી ઉ.વ.૯ર મુંબઇ તે સ્‍વ. ફુલશંકર વલ્લભજી ત્રિવેદીના પુત્રી તથા સ્‍વ. ઝવેરલાલ ત્રિવેદી ચંદ્રકાંત ત્રિવેદી (જેઅમસી), મહેન્‍દ્રભાઇ ત્રિવેદી (જેએમસી), સ્‍વ. નિર્મલાબેન ઉપાધ્‍યાય, સ્‍વ. પુષ્‍પાબેન ઉપાધ્‍યાય, સ્‍વ. કુસુમબેન ભટ્ટ, ઉર્મિલાબેન ભટ્ટના બહેનનું  મુંબઇ પાર્લા મુકામે તા.૭-૧ર-ર૦રર બુધવારના રોજ અવસાન થયેલ છે. તેના પિયર પક્ષનું બેસણું જામનગર મુકામે શનિવારે સાંજે ૪ થી ૪.૩૦ વાગે પાબારી હોલ તળાવની પાળ જામનગર ખાતે રાખેલ છે.

દમયંતીબેન જાદવ

રાજકોટઃ કિશોરચંદ્ર રવજીભાઈ જાદવના ધર્મપત્‍નિ, દમયંતીબેન જાદવ (ઉ.વ.૭૨) તે શૈલેષભાઈ, દિવ્‍યેશભાઈ તેમજ સ્‍મીતાબેન ગોહેલના માતુશ્રીનું તા.૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને શુક્રવારનાં સાંજે ૪ થી ૬, ભીમનાથ મહાદેવ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

જયંતકુમાર કેશરીયા

રાજકોટઃ નિવાસી જયંતકુમાર મનસુખલાલ કેશરીયા (ઉ.વ.૬૬) તે સ્‍વ.મનસુખલાલ વિઠ્ઠલદાસ કેશરીયાના પુત્ર, મુકુંદ મનસુખલાલ કેશરીયાના  નાનાભાઈ, ભરત મનસુખલાલ કેશરીયાના મોટાભાઈ, ભુષણ (માધવ) અને અંકિતા (ટીના)ના પિતા તથા સ્‍વ.હિંમતલાલ પ્રેમજી તન્‍નાના જમાઈ તા.૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૯ શુક્રવાર સાંજે ૫ કલાકે પંચનાથ મંદિરે, રાજકોટ મુકામે રાખેલ છે.

ભરતભાઈ લીમ્‍બડ

રાજકોટઃ નિવાસી ભરતભાઈ છોટાલાલ લીમ્‍બડ (ઉ.વ.૬૮) તે સુનિલભાઈના પિતા તેમજ મુકેશભાઈના નાનાભાઈ તા.૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું શનિવારને તા.૧૦ સાંજે ૪ થી ૫ કલાકે રાતીયા હનુમાન મંદિરે, આમ્રપાલી સીનેમા પાસે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. સુનિલભાઈ મો.૮૭૮૦૧ ૭૪૪૨૨, મુકેશભાઈ ૬૩૫૩૨ ૩૩૩૦૧, ભરતભાઈ મૂળજીભાઈ ચૌહાણ મો.૯૪૨૮૨ ૫૪૨૯૫.

જયેશભાઈ મહેતા

રાજકોટઃ સ્‍વ.નટવરલાલ મણિશંકર મહેતાના પુત્ર જયેશભાઈ નટવરલાલ મહેતા (ઉ.વ.૫૯) તે વર્ષાબેન મહેતા, કલ્‍પનાબેન જે.દવે, નીતાબેન બી. રાજયગુરૂના ભાઈ, પ્રદીપભાઈ મહેતા, ગીતાબેન પંડયા, કુસુમબેન મહેતાના પિતરાઈ ભાઈ,  મનસુખભાઈ રમણીકલાલ જોશી (અમરેલી) તથા વૈકુંઠલાલ રમણીકલાલ જોશી, મધુબેન પ્રમોદલાલ ઠાકર તથા કમલાબેન હસમુખલાલ રાવલના બનેવી, તે કાંતભાઈ રામશંકર જોશી તથા વેણીભાઈ રામશંકર જોશી (બોટાદ)ના ભાણેજનું તા.૭ને બુધવારના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી તા.૧૦ને શનિવારના રોજ, બપોરે ૪ થી ૬ કલાકે, ડ્રિમ વિલે ફલેટ ઈ વિંગ, રેલ્‍વેના પાટા પાસે માધાપર ચોકડી, રાજકોટ મુકામે રાખેલ છે.

પ્રતાપભાઇ જાદવ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા મૂળગામ ભેસદણ હાલ રાજકોટ નિવાસી અક્ષર નિવાસી પ્રતાપભાઇ હિરજીભાઇ જાદવ તે હરેશભાઇ પ્રતાપભાઇ, જયેશભાઇ પ્રતાપભાઇ, સોનલબેન અશોકભાઇ, ભાવનાબેન ગોપાલભાઇના પિતાશ્રી તા.૮ને અક્ષરનિવાસી થયા છે. તેમનું બેસણું તા.૧૨ને સોમવારને સાંજે ૪થી ૬ તેમના નિવાસ સ્‍થાન સંતકબીર રોડ સરદારસ્‍કુલની સામે રાજકોટ ખાતે રાખેલ છે.

મનસુખભાઈ ગોહિલ

રાજકોટઃ સદ્દગુરૂ પ્‍લમ્‍બરવાળા મનસુખભાઈ પોપટભાઈ ગોહિલ (ડંકીવાળા) તે જીતેન્‍દ્રભાઈ તથા કિરણબેનના પિતા તથા રાજેશકુમાર ચૌહાણના સસરાનું તા.૮ને ગુરૂવારના દુઃખદ અવસાન થયેલ છે. તેનું બેસણું તા.૧૦ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર, કડિયા સોસાયટી, શેરી નં.૨, ગોકુલધામ પાસે, રાજકોટ મુકામે રાખેલ છે.

હિતેષભાઈ રાવલ

રાજકોટઃ સ્‍વ.હિતેષભાઈ પ્રવિણચંદ્ર રાવલ (મુળ સરપદડ) (ઉ.વ.૫૩) તે સ્‍વ.પ્રવિણચંદ્ર વજેશંકર રાવલ તથા ગં.સ્‍વ.તારાબેન, સ્‍વ.પ્રવિણચંદ્ર રાવલ (સરપદડ), ઔ.ઝાલાવડ બ્રાહ્મણ પરીવારના મોટા દિકરા જેઓ ગં.સ્‍વ.પારૂલબેનના પતિ તથા  સ્‍વ.ચાંદની અને કિશનના પિતા (પપ્‍પા) જેઓ ગં.સ્‍વ.ભાવનાબેન, સ્‍વ.ભરતકુમાર ઉપાધ્‍યાયના નાનાભાઈ અને નીતીન પ્રવિણચંદ્ર રાવલના મોટાભાઈ, સાગર રાવલના મોટાભાઈશ્રી, હાલ રાજકોટ નિવાસીનું તા.૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ઉઠમણું એમના નિવાસસ્‍થાન ખાતે તા.૧૦ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ સુધી, સાનિધ્‍ય-૫, ૐ પાર્ક મેઈન રોડ, નાની ફાટક પછી, મોરબી રોડ બ્રિઝ નજીક, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૧૦૪૫ ૦૭૭૭૦.