Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022
અવસાન નોંધ

ત્રિભોવનદાસ નારણ

રાજકોટઃ શેઠ શ્રીહરિલાલ નાથાલાલ નારણ(સાઉથ આફ્રીકા)ના પુત્ર શ્રીત્રિભોવનદાસ (ત્રિભુભાઇ) (ઉ.૮૮) તેઓ ગં.સ્‍વ. અનસૂયાબેન વાય.નારણના જેઠ તેમજ સ્‍વ.શ્રીમતિ તારાબેન ચંદુલાલ ચોલેરાના ભાઇ તથા સ્‍વ.ભરતભાઇ જયદેવભાઇ(યુ.એસ.એ) અને સુનિલભાઇ ચંદુલાલ ચોલેરાના મામાનું તા.૩ને સોમવારના રોજ સાઉથ આફ્રિકા મુકામે દુઃખદ અવસાન થયેલ છે.

હેમંતભાઇ દોંગા

રાજકોટઃ નિવાસી સ્‍વ.નાગજીભાઇ પોલાભાઇ દોંગાના પુત્ર હેમંૅતભાઇ(હકો) (ઉ.૫૪) તે પ્રશાંતભાઇના પિતાશ્રી તથા પરસોતમભાઇ, ધીરૂભાઇ, રમેશભાઇ, સુરેશભાઇના ભાઇનું તા.૫ બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૭ શુક્રવાર સાંજે ૪થી ૬ સ્‍થળઃ પટેલવાડી-૧, વાણીયાવાડી, રાજકોટ

સરોજબેન ભરવાડા

રાજકોટ : બા.બ. સરોજબેન ત્રિભોવનદાસ ભરવાડા (ઉ.વ.૮પ)  તે કોટક સ્‍કુલ ભુતપુર્વ શિક્ષીકા, સ્‍વ. પ્રભુદાસ સુરચંદ ટોળિયા સ્‍વ. વનેચંદ સુરચંદ ટોળિયાના ભાણેજ સ્‍વ.રશ્‍મીબેન રમણીકલાલ પારેખના બેન, કૌશીકભાઇ ખજુરીયા (લંડન) અને રાકેશભાઇ પારેખ (મુંબઇ)ના માસીનું તા.પના અવસાન થયેલ છે. ઉઠમણું તા.૬ને  ગુરૂવારે સાંજે ૪ કલાકે માંડવી ચોક દેરાસરે રાખેલ છે.

ડાયાલાલ દુદકીયા

રાજકોટ : ડાયાલાલ ગાંડાલાલ દુદકીયાનું તા.૪ના અવસાન થયેલ છે તે શહેર ભાજપ વોર્ડ નં.૧૬ના મંત્રી રાજેશભાઇ દુદકીયા અને મનોજભાઇ દુદકીયાના પિતાશ્રી તથા નિરજ અને યશના દાદાશ્રીનું બેસણું તા.૬ના ગુરૂવારે સાંજના ૩ થી ૬, ભુવનેશ્વરી શેરી નં.૧, રામ રણુજાની બાજુમાં, રણુજા મંદિરની સામે, કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.

ધીરજલાલ જોબનપુત્રા

રાજકોટઃ ધીરજલાલ હિરજીભાઈ જોબનપુત્રા (ઉ.વ.૮૨) તે જીતેન્‍દ્ર તથા અનિલ (બકાભાઈ)ના પિતાશ્રી તેમજ સ્‍મિતા અલ્‍પેશ ખખ્‍ખર અને સોનલ દીપકકુમાર ઠકકરના સસરાનું તા.૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા.૭ને  શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, રામેશ્વર મંદિર, અંકુર સોસાયટી, અંકુર પ્રોવીઝન સ્‍ટોર પાસે, જી.આઈડી.સી. સામે, સનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

હંસાબેન સોરઠીયા

બાબરા : અમરાપરા નિવાસી માળી નટુભાઇ દુર્લભજીભાઇ સોરઠીયા ના ધર્મપત્‍ની સ્‍વ. હંસાબેન નટુભાઇ સોરઠીયા (ઉ.વ.૬૩) તા. પ ને બુધવારના રોજ રામચરણ પામેલ છે. તેઓ જયદીપભાઇ, જીજ્ઞેશભાઇ તેમજ કલ્‍પેશભાઇના માતુશ્રી થતા હતાં.

જયશ્રીબેન રાઠોડ

જુનાગઢ : સ્‍વ જયશ્રીબેન જેન્‍તીલાલ રાઠોડ તે  જેન્‍તીભાઇ નાગજીભાઈ રાઠોડનાં પત્‍ની તથા ભાવેશ , વિરલ તથા વિભા રાઠોડ નાં માતળશ્રી અને દયાબેન તથા દામજીભાઈ વાઘેલા નાં સુપુત્રી  તા.૫   શ્રીજીચરણ પામેલ છે બેસણું તારીખ ૭  શુક્રવારે  કડિયા સમાજ વાડી કડિયાવાડ ખાતે સમય સાંજે ૪ થી ૬ રાખેલ છે તેમજ તેમની ઉત્તરક્રિયા તારીખ ૧૫  ને ૨ શનિવાર નાં રોજ રાખેલ છે.