Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018
દરિયાપુરી સંપ્રદાયના પૂ. નિર્મળાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યાઃ ઘાટકોપર તથા પડઘા ખાતે ગુણાનુવાદ

રાજકોટ, તા.૬: દેવલાલીમાં શ્રી મહાવીર સેવા કેન્દ્રમા બિરાજીત દરિયાકપુરી સંપ્રદાયના સાધ્વીજી પૂ.નિર્મળાબાઈ મહાસતીજી ૭૮ વર્ષની વયે ૫૮ વર્ષની દિક્ષા સહિત તા.૫ના બપોરે સમાધિભાવે કાળધર્મ પામ્યા છે. તેઓ લાઠીના કમળાબેન અને છોટાલાલ પ્રભુદાસ ભાયાણીના પુત્રી હતા. ભાયાણી પરિવારમાં સહુ પ્રથમ દિક્ષા લેનાર તેઓ હતા.

ગોંડલ સંપ્રદાયના પૂ.નમ્રમુનિ મ.સા.ના તેઓ સંસારી ફૈબા હતા. ૫૮ વર્ષ પૂર્વે મુંબઈના આદ્ય ધર્મસ્થાનક શેઠ દામજી લક્ષ્મીચંદ ચંદનવાડી સંઘમાં દિક્ષા અંગીકાર કરેલ.

ઘાટકોપર ખાતે પૂ.શ્રી ધીરગુરુદેવ તથા મહાસતીજી વૃંદની નિશ્રામાં તા.૭ને બુધવારે સવારે ૯:૩૦ કલાકે હિંગવાલા લેન મોટા ઉપાશ્રય- આયંબિલ હોલ ખાતે ગુણાનુવાદ સભા રાખેલ છે.

જયારે પરમાધામ, પડઘા ખાતે પૂ.મહાસતિજીની ગુણાનુવાદ સભા પરમ ધામ, પડઘા ખાતે પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ની નિશ્રામાં ગુરૂવારે સવારેના ૯:૩૦ કલાકે યોજાશે તેમ દિલેશભાઈ ભાયાણીએ જણાવ્યું છે.(૩૦.૪)

ઠેબચડાઃ દિનેશભાઇ સોલંકીની સુપુત્રી બિરવાનુ દુઃખદ અવસાન

રાજકોટ : રાજકોટ તાબેના ઠેબચડા નિવાસી અકિલા પરિવારના દિનેશભાઇ ગોવિંદભાઇ સોલંકી અને ભારતીબેન સોલંકીની સુપુત્રી બિરવા (ઉ.વ.૭) તે દાદા ગોવિંદભાઇ સોલંકી અને દાદી સ્વ.મણીબેન સોલંકીની પૌત્રી તેમજ જેસીંગભાઇ સોલંકીની ભત્રીજીનું   રવિવારના તા.૪-૨-૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

લોધીકા તા.પં. સદસ્ય દિવ્યરાજસિંહ જાડેજાના દાદીમાનુ દુઃખદ અવશાન સદ્દગતનું ગુરૂવારે સાંજે ૪ થી ૬ પાળ ગામે બેસણું

લોધીકાઃ પાળ ગામના વતની ગંગાબા મંગળસિંહ જાડેજા તે અજીતસિંહ મંગળસિંહ જાડેજા તથા જયવિરસિંહ જાડેજાના માતુશ્રી તે રાજેન્દ્રસિંહ અજીતસિંહ, ભુપતસિંહ જયવિરસિંહ, રામદેવસિંહ જયવિરસિંહ, દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ ત્થા દિગ્વીજયસિંહ અજીતસિંહના દાદીમાંનું તા.૪ના રોજ દુઃખ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ પાળ ગામ ખાતે રાખેલ છે

અવસાન નોંધ

 રાઘવજીભાઇ પાડલીયા

 રાજકોટઃ જામનગર નિવાસી હાલ રાજકોટ રાઘવજીભાઇ રામજીભાઇ પાડલીયા તે પુષ્પાબેન રમેશભાઇ પંચાસરા (રાજકોટ) તથા ઇન્દુબેન શાંતિલાલ ડાભી (ધ્રાંગધ્રા) તથા ડો. રંજનબેન ભરતભાઇ પંચાસરા (કેનેડા) તથા હસમુખભાઇના પિતાશ્રી અને ભાર્ગવના દાદાશ્રીનું તા.૫ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ ને  ગુરુવારના રોજ ગેલકૃપા પ્રાર્થનાહોલ,  આર્યસમાજની સામે , હાથીખાના મેઇન રોડ, રાજકોટ મુકામે રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા (પાણીઢોળ) તા.૯ના રોજ રાખેલ છે.

જેતપુર મણીબેનનું ૧૦ર વર્ષ વયે નિધન

જેતપુર : મણીબેન રામજીભાઇ પીપળીયા (ઉવ.૧૦ર) તે ડો. સી.એસ. સાવલીયાના સાસુ, રસીલાબેન સાવલીયા (અક્ષર સ્કુલના) માતુશ્રી, તા. ૬ મંગળવાર ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા. ૮ ગુરૂવારના રોજ સાંજે ૩ થી પ અક્ષર છાત્રાલય હોટલ ઉત્સવ પાછળ, જુનાગઢ રોડ જેતપુર ખાતે રાખેલ છે.

અમૃતભાઇ વાછાણી 

જેતપુર : વરિયા વૈશ્નવ પ્રજાપતિ, અમૃતભાઇ દેવજીભાઇ વાછાણી (ઉ.વ.૬૭) તે ભરતભાઇના વડિલ બંધુ તેમજ વિજયભાઇ જીતુભાઇ જગદીશભાઇના પિતાશ્રી તા. ૪ રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૮ મીએ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને મેઘના સોસાયટી ેકશોદ રાખેલ છે. 

હર્ષદભાઈ ત્રિવેદી

રાજકોટઃ નિવાસી ઔ.ઝા. બ્રાહ્મણ હર્ષદભાઈ જમનાદાસ ત્રિવેદી તે દિનેશભાઇ જે.ત્રિવેદી, શૈલેષભાઈ, ભરતભાઈ, સુનિલભાઈના નાનાભાઈ તથા ગૌરાંગ હર્ષદભાઈત્રિવેદીના પિતાશ્રીનું તા.૫ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ નાગેશ્વર મંદીર, અયોધ્યા સોસાયટી, બાબરીયા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. ગૌરાગ ત્રિવેદી મો.૮૮૬૬૭ ૨૮૯૬૪ અને મેહુલ ત્રિવેદી મો.૯૯૦૪૨ ૨૭૬૬૪

નાગજીભાઇ ચાવડા

રાજકોટઃ ગુજ. મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિ નાગજીભાઇ બાવાલાલ ચાવડા (ઉ.વ.૮પ) (ખીરસરા વાળા) તે સ્વ.બાવાલાલ રામજીભાઇ ચાવડાના પુત્ર, તથા સ્વ.કલ્યાણજી બાવાલાલ ચાવડાના મોટાભાઇ અને વિનોદભાઇ, નિલેષભાઇના પિતાશ્રીનું તા.૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સાંગણવા ચોક દરજી જ્ઞાતિની વાડી ખાતે રાખેલ છે.

ભરતભાઇ રાજપરા

રાજકોટઃ મુંબઇ નિવાસી કિરીટકુમાર છોટાલાલ કાત્રોડિયાના જમાઇ, જેતપુર નિવાસી કાન્તિલાલ વિઠ્ઠલદાસ, નરોતમભાઇ વિઠ્ઠલદાસ તથા મૂળચંદભાઇ વિઠ્ઠલદાસ લાઠીગરાના ભાણેજ જમાઇ તેમજ ગોંડલ નિવાસી ધીરજલાલ કલ્યાણજીભાઇ રાજપરાના પુત્ર ભરતભાઇ (ઉ.વ.પર)નું તા.૪ના રોજ અવસાન થયું છે. સાદડી તા.૯મીએ શુક્રવારે સાંજે ૪ થી ૬ જેતપુરમાં મુલચંદભાઇ વિઠ્ઠલદાસ લાઠીગરાના નિવાસસ્થાને મોટા ચોક મહાદેવ શેરીમાં રાખેલ છે.

અસગરઅલી લોખંડવાલા

  મોરબી : અસગરઅલી યુસુફઅલી લોખંડવાલા તે તાહેરઅલી તથા મહમદભાઇ ( પ્રિમીયર એજન્સી)ના બાવાજી તેમજ સબ્બીરભાઇ  પત્તા  (જામનગર) તથા જોહરભાઇ ભારમલ (મોરબી)ના સસરાના તા. ૫ના  રોજ અવસાન થયેલ  છે. મરહુમની જીયારતના સિપારા તા. ૭ મીએ બુધવાર જામનગરમાં બપોરે ૧૨-૩૦ કલાકે ગોલ્ડન હોલ, કાલાવડ નાકા બહાર રાખેલ છે.

પ્રવિણાબેન જાદવાણી

રાજકોટ : ગુર્જર સુથાર પ્રવિણાબેન (ઉ.વ.૬૮) તે બોરવાવવાળા હાલ સુરત ધીરજલાલ બાબુલાલ જાદવાણીના ધર્મપત્નિ તેમજ સ્વ. રાજુભાઈ તથા સંગીતાબેન કિશોરકુમાર સંચાણીયા તથા શોભનાબેન અશોકકુમાર સુરેલીયાના માતા તેમજ મહેશભાઈ વશરામભાઈ કરગથરા તથા ભરતભાઈના બહેનનું તા.૪ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૮ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રણછોડદાસજી સાંસ્કૃતિક ભવન કતારગામ, બસ સ્ટોપ પાસે, કતારગામ સુરત ખાતે રાખેલ છે.