Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021
ગોંડલના પત્રકાર હિમાંશુભાઇ પુરોહિતના પિતાનું અવસાન

ગોંડલઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કિશોરકાંત જન્મશંકર પુરોહિત ઉ.વ. ૮૦ તે હિતેશભાઈ (રંગોલી ઓફસેટ રાજકોટ, પૂર્વ જીમ્મી ઓફસેટ રાજકોટ), હિમાંશુભાઈ (પત્રકાર), ગીતાબેન મુકેશકુમાર જોષી (રાજકોટ), ચેતનાબેન મનીષકુમાર જાની (રાજકોટ)ના પિતા, ધર્મિલ, શ્રેયા અને આદિત્ય ના દાદા નું તા. ૩-૧૨-૨૦૨૧ શુક્રવાર ના અવસાન થયું છે, સદગત નું બેસણું તા.૬ સોમવાર સાંજે ૩ થી ૫ તેમના નિવાસ સ્થાન,'શ્રી' , ૪/૧૩, ભોજરાજપરા, ગોંડલ રાખેલ છે. 

અવસાન નોંધ

જેન્તીભાઇ ગોહેલ

રાજકોટ : જેન્તીભાઇ મેઘજીભાઇ ગોહેલનું તા. ૩ ના અવસાન થયેલ છે. તે રાજેશભાઇ, પ્રવિણભાઇ, અલ્કેશભાઇના પિતાશ્રી તથા મીરાજ, ઉમંગ, સાવનના દાદા તથા નરશીભાઇ મેઘજીભાઇ ગોહેલના નાના ભાઇ તથા કિશોરભાઇ ભગવાનજીભાઇ ઝાલાના સસરાનું બેસણું તા. ૪ ને શનિવારે વાણંદ સમાજની વાડી, લક્ષ્મીનગર બપોરે ૩ થી પ ના રાખેલ છે. અલ્કેશભાઇ ૯૮રપ૭ ૯પ૦૭૯, મીરાજભાઇ ૮૮૬૬પ ૦૯૮૭૬, ઉમંગભાઇ ૮૪૯૦૯ પ૬૮૮ર 

ડો.મોહનલાલ ગજેરા

રાજકોટઃ ડો.મોહનલાલમ ભગવાનજીભાઈ ગજેરા તે વિજયભાઈ (વિ.જી.એગ્રાટેક) તથા રાજેશભાઈ (તુલસી અમુલ પાર્લર) અને મિનાક્ષીબેનના પિતાશ્રી તા.૩ શુક્રવારના રોજ વૈકુંઠવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, તેમના નિવાસસ્થાને માધવ રેસીડેન્સી-૨, બ્લોક નં.૩૨, સ્વાતિ પાર્કની બાજુમાં, કોઠારીયા, રાજકોટ ખાતે રાખેલ છે. વિજયભાઈ ગજેરા મો.૯૮૨૫૨ ૫૯૬૦૬, રાજેશભાઇ ગજેરા મો.૯૪૨૬૪ ૬૦૮૯૫ 

પંકજભાઈ બુધ્ધદેવ

રાજકોટઃ પંકજભાઈ પ્રભુદાસભાઈ બુધ્ધદેવ (ઉ.વ.૬૭) તે સ્વ.પ્રભુદાસભાઈ પોપટલાલ બુધ્ધદેવના પુત્ર તથા શૈલેષભાઈ, ચંદ્રિકાબેન, હરેશભાઈના ભાઈ તથા જયેશ, કિશન, મીનાબેન હિતેશકુમાર વસાણીના પિતા, કાવ્ય- ક્રિશાના દાદા, મણિલાલ ભૂરાલાલ રૂપારેલિયાના જમાઈ તા.૩ના શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તા.૪ને શનિવારે સાંજે ૫ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે.મો.૯૭૨૩૩ ૨૦૧૯૩, મો.૮૭૮૦૭ ૭૫૯૯૦