Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024
અવસાન નોંધ

શામજીભાઇ ધંધુકીયા

રાજકોટ : શામજીભાઇ ભવાનભાઇ ધંધુકીયા (ઉ.વ.૮પ) તે જેન્‍તીભાઇ તથા કમલેશભાઇના પિતા ત્‍થા રમેશભાઇ પોપટભાઇ સરવૈયાના સસરાનું આજે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણુ કાલે શુક્રવારે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાને સિધ્‍ધી ન્‍યુ લક્ષ્મી સોસાયટી પટેલ બોર્ડીંગ પાછળ ૧પ૦ ફુટ રીંગ રોડ, ક્રિષ્‍ના સ્‍કુલની સામે રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૮૭૯૮ ૭૩૧૯૯

હકાભાઇ ચૌહાણ

રાજકોટ : મુળ જારીડા હાલ રાજકોટ નિવાસી સ્‍વ. હકાભાઇ મુળજીભાઇ ચૌહાણ (ઉ.૮૦) તે દિનેશભાઇ ચૌહાણ (વિ. હી. પ. - ચારણીયા ટાઇમ્‍સ) અને શ્રી પ્રવિણભાઇ ચૌહાણ (ફુલછાબ પ્રેસ)નાં પિતાશ્રી તથા સ્‍વ. હરેશભાઇ ચૌહાણ (વિશ્વ હિન્‍દુ પરિષદ), રાજેશભાઇ ચૌહાણ (સદભાવના હોસ્‍પિટલ), રઘુભાઇ ચૌહાણ (કેન્‍ટીન), સુરેશભાઇ ચૌહાણ (નીલ ભજીયા), લલીતભાઇ ચૌહાણ (રાજ કેટરર્સ), હસુભાઇ ચૌહાણ (સ્‍ટર્લીંગ હોસ્‍પિટલ), કિશોરભાઇ ચૌહાણ (સ્‍પાઇકર્સ સ્‍ટોર્સ)નાં મોટાબાપુજી તથા મેહુલ, સુમિત, મયંક, યશ, હર્ષ, નીલ, શિવમ, દિશાંતનાં દાદાજીનું તા. ૧૭ ને બુધવાર, રામનવમીના રોજ રામચરણ પામ્‍યા છે. તેમનું બેસણુ તા. ૧૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાગ્‍યા સુધી ગંગેશ્વર મહાદેવ મંદિર, ગાંધીગ્રામ મેઇન રોડ, એસ. કે. ચોક પાસે, સ્‍ટર્લીંગ હોસ્‍પીટલ સામે, રાજકોટ ખાતે રાખ્‍યું છે. મો. ૯૯૦૯૯ ૯૬૯૦૯, મો. ૭પ૬૭પ ર૧૭૧પ

સરોજબેન તન્‍ના

રાજકોટ : અલીયાબાડા નિવાસી સરોજબેન તન્ના (ઉ.૭૩) તે નરોતમભાઇ નાથાલાલ તન્‍નાના પત્‍ની તથા સ્‍વ. સંજય તથા રિતેશના માતુશ્રી તેમજ શ્રધ્‍ધા અને દીપના દાદીમા અને સ્‍વ. મથુરાદાસ મુળજી બુધ્‍ધદેવના પુત્રી તા. ૧૮ ના રોજ શ્રીજીચરણ પામેલ  છે. સદગતનું ઉઠમણું અને પીયર પક્ષની સાદડી તા. ૧૯ ને શુક્રવારે સાંજે પ થી  પ-૩૦ દરમિયાન જૈન ધર્મશાળા અલીયાબાડા મુકામે રાખેલ છે.

મમતાબેન પોપટ

અમરેલી : સ્‍વ. જયસુખભાઇ ભગવાનજીભાઇ પોપટના પત્‍ની મમતાબેન જયસુખભાઇ પોપટ (ઉ.વ.૭૦) તે ડો. દિવ્‍યેશ પોપટ, પરાગભાઇ પોપટ તેમજ જીજ્ઞાબેન અમિતકુમાર આડતિયાના માતુશ્રી તેમજ પ્રવિણભાઇ (દાસભાઇ), દિનેશભાઇ પોપટ (પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ), બિપીનભાઇ, સુરેશભાઇ, શૈલેષભાઇના ભાભીનું તા. ૧૮ ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા - ઉઠમણું તા. ર૦ ના સાંજે પ થી ૬ સુધી તેમના નિવાસ સ્‍થાન ગુરુકૃપાનગર, ‘રામ ધામ', ગાયત્રી મંદિર રોડ, અમરેલીમાં રાખેલ છે.

દુર્વા વ્‍યાસ

રાજકોટ : મુળ ગામ જામખંભાળીયા હાલ રાજકોટ નિવાસી રાજેશભાઇ વ્‍યાસની પુત્રી દુર્વા (ઉ.વ.૬) જે રતિલાલ ગોવિંદજી વ્‍યાસની પૌત્રી અને કલ્‍પેશભાઇ (મોરબી) ની ભત્રીજીનું દુઃખદ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા તા. ૧૯ ને શુક્રવાર સાંજે ૪ થી ૬, સ્‍થળ વિનાયક ફલેટ વિન્‍ગ સી-ર૦ર રાજલક્ષ્મી સોસાયટી, મોર્ડન સ્‍કુલની પાછળ, મોરબી રોડ, રાજકોટ તેમના નિવાસ પર રાખેલ છે.

વિનોદરાય ફીચડીયા

રાજકોટ : અ. નિ. વિનોદરાય અમૃતલાલ ફીચડીયા (ઉ.વ.૭૯) તેઓ ઝવેરી ભનુભાઇના પુત્ર, અ. ની. અનંતરાયના લઘુબંધુ વસંતભાઇ તથા ચંદુભાઇ ઝવેરીના મોટાભાઇ તથા આડેસરા મગનલાલ હરિભાઇ મઘરવાડાના જમાઇ તથા ભીખાભાઇ, જીતુભાઇ, અનુભાઇ, લલતિભાઇના બનેવીનું તા. ૧૭ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. બંને પક્ષનું  તા. ૧૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે, કાઠીયાવાડ જીમખાના, આરકેસી કોલેજની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

અનિરૂધ્‍ધસિંહ જાડેજા

રાજકોટ : ખાખડાબેલા -૧, હાલ રાજકોટ નિવાસી અનિરૂધ્‍ધસિંહ મદારસિંહ જાડેજા (ઉ.વ.૮૦) (પંચમુખી હોટલ) તે વનરાજસિંહ તથા સુખદેવસિંહના મોટાભાઇ તથા હિતેન્‍દ્રસિંહ, અશોકસિંહ, મહેન્‍દ્રસિંહ, ભરતસિંહના પિતાશ્રી તા. ૧૭ ના રોજ દેવલોક પામેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ૧૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે સ્‍થળ વિનોદભાઇ શેઠ કોમ્‍યુનીટી હોલ, દેવપરા શાક માર્કેટની બાજુમાં કોઠારીયા મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૮ર૪૦ ૧પ૧પ૬, મો. ૯૭ર૬૪ ૮૧ર૩૬,

ગં. સ્‍વ. સ્‍વરૂપ કુંવરબા

રાજકોટ : ગં. સ્‍વ. બા. શ્રી સ્‍વરૂપકુંવરબા (ઉ.વ.૯૧) તે સ્‍વ. શ્રી ફતેસિંહજી એ. રાણા (રી. ડી. વાય. એસ. પી.)ના ધર્મપત્‍ની તે જયેન્‍દ્રસિંહ એફ. રાણા એડવોકેટશ્રીના માતુશ્રી તથા અજયરાજસિંહના દાદીમાનું તા. ૧પ ના રોજ સ્‍વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણુ તા. ૧૮ ને ગુરૂવારના રોજ શ્રી ગંગનાથ મહાદેવ મંદિર, યોગી પાર્ક, શેરી નં. ૭, રાણી ટાવર પાછળ, ક્રિસ્‍ટલ મોલ સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે સાંજના પ થી ૬ દરમ્‍યાન રાખેલ છે.

જયેશભાઇ કકકડ

મોરબી : વનાળીયા નિવાસી સ્‍વ. અમૃતલાલ ધનજીભાઇ કકકડના પુત્ર સ્‍વ. જયેશભાઇ કકકડ તે પ્રવિણભાઇ, ચંદ્રકાંતભાઇ અને ઘનશ્‍યામભાઇના ભાઇ તથા હિરેનભાઇના પિતા તેમજ મિલનભાઇ, મયુરભાઇ અને નિરવભાઇના કાકાનું તા. ૧૬ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૯ ને શુક્રવારે સાંજે પ થી ૬ કલાકે રામધન આશ્રમ, મહેન્‍દ્રનગર રોડ, મોરબી-ર માં રાખેલ છે.

ધનકુંવરબેન છાટબાર

રાજકોટ : બ્રહ્મક્ષત્રીય ગોંડલ નિવાસી સ્‍વ. નાથાલાલ ગોવિંદજી છાટબારના ધર્મપત્‍ની ગં. સ્‍વ. ધનકુંવરબેન નાથાલાલ  છાટબાર (ઉ.વ.૯૮) તે સ્‍વ. ચત્રભુજ કુરજી જાજલ (રાજકોટ)ના દીકરી તે હરિકૃષ્‍ણ ચત્રભુજ જાજલ (બટુકભાઇ) ના મોટા બહેન તા. ૧પ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્‌્‌ગતની સાદડી, તા. ૧૯ ને શુક્રવારે સાંજે પ થી ૬ વાગ્‍યે બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિ વાડી, ખત્રીવાડ રાજકોટ ખાતે રાખેલ છે.

દિલસુખરાય પુરોહિત

જુનાગઢ : મુળ ધંધુસર હાલ જુનાગઢ નિવાસી દિલસુખરાય પુરોહિત (ઉ.૭૪) તે સ્‍વ. ઉમીયાશંકર ભગવાનજી પુરોહિતના પુત્ર તથા સ્‍વ. ચેતનભાઇ અને સમીરભાઇના પિતા તેમજ સ્‍વ. રમાબેન વિનોદરાય ભટ્ટ, સ્‍વ. વિનોદભાઇ, રાજેન્‍દ્રભાઇ અને ચંદ્રીકાબેન વિનોદરાય દવે (વેરાવળ) ના ભાઇ તથા સ્‍વ. રસિકલાલ દુર્ગાશંકર ભટ્ટ (રાજકોટ) ના જમાઇ તેમજ રાજેન્‍દ્રભાઇ, મુકુંદભાઇ અને હર્ષાબેન પ્રદ્યુમનભાઇ પંડયા (શાપુર) ના બનેવી તથા સ્‍વ. ચંદુલાલ અને સ્‍વ. મુગટલાલ જીવરામ ભટ્ટ (વડાલ) ના ભાણેજનું તા. ૧૬ ના અવસાન થયેલ છે. ઉઠમણું, શ્વસુર પક્ષની સાદડી અને મોસાળ પક્ષની સાદડી તા. ૧૯ ના સાંજે પ થી ૬ કલાકે બીલનાથ મહાદેવ મંદિર, ટીંબાવાડી રોડ, જુનાગઢમાં રાખેલ છે.

ચંદુભાઇ ભટ્ટી

રાજકોટ : ચંદુભાઇ બચુભાઇ ભટ્ટી (ઉ.૭૩) તે કિશોરભાઇ ભટ્ટીના મોટાભાઇ તથા કાજલબેન મકવાણા તથા વિમલભાઇના પિતાશ્રી તથા જયભાઇના દાદા તથા ભાવેશભાઇ એમ. મકવાણાના સસરાનું તા. ૧પ ને અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ આર. એમ. સી. કવાર્ટર નં. ૧૦, ખોડીયારપરા, આજી વસાહત, ખાતે રાખેલ છે.

પ્રભુદાસભાઇ વિઠલાણી

રાજકોટઃ સ્‍વ.પ્રભુદાસ પીતાંબરભાઇ વીઠલાણી(ઉ.વ.૮૫) તેઓ સ્‍વ.પીતાંબર ભાઇ વીઠલાણી ના પુત્ર, દિપેશભાઇ, ચિરાગભાઇ તથા જલ્‍પાબેનના પિતાશ્રી તથા આરતીબેન, નેહાબેન અને પરેશભાઇ વાઘાણી ના સસરાનું તા.૧૫ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.૧૮ ગુરૂવાર સાંજે ૪ થી પ કલાકે રોટરી હોલ, ગાંધીધામ નગરપાલિકા ઓફિસની સામે, અગ્રવાલ સમાજની બાજુમાં ગાંધીધામ ખાતે રાખેલ છે.

શ્રી ઘેલારામજી ઔદિચ્‍ય બ્રાહ્મણ બોર્ડીંગના પ્રમુખ દિલીપભાઇ વ્‍યાસનું અવસાન

રાજકોટ તા. ૧૮: મહારાજશ્રી ઘેલારામજી ઔદિચ્‍ય બ્રાહ્મણ બોર્ડીંગના પ્રમુખ શ્રી દિલીપભાઇ ઉમીયાશંકરભાઇ વ્‍યાસ (ઉ.વ. ૭ર) નું તા. ૧૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. મહાદેવજીના પરમ ભકત સ્‍વ. દિલીપભાઇ વ્‍યાસ, પંચનાથ ટ્રસ્‍ટના ભૂતપૂર્વ ટ્રસ્‍ટી સ્‍વ. ઉમીયાશંકરભાઇ વ્‍યાસના પુત્ર, ગં.સ્‍વ. શારદાબેનના પતિ તથા હરેશભાઇ વ્‍યાસ (રીટા. કર્મચારી આર.એમ.સી.)ના ભાઇ, તથા ચંદ્રેશ વ્‍યાસ (સીવીલ એન્‍જીનીયર, ઓસ્‍ટ્રેલીયા), પ્રકાશ વ્‍યાસ (રેવેન્‍સ ઇન્‍ફ્રા., રાજકોટ), પ્રશાંત વ્‍યાસ (ગેલેકસી સ્‍વીમીંગ પુલ, રાજકોટ) ના પિતાશ્રી તથા મુકેશ ડી. વ્‍યાસ (વ્‍યાસ ટ્રાવેલ્‍સ), કિરણ વ્‍યાસ (સીતારામ મેટલ્‍સ), હિરેન વ્‍યાસ (વ્‍યાસ ટ્રાવેલ્‍સ), જીતેન્‍દ્ર વ્‍યાસ (વ્‍યાસ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ), કલ્‍પેશ વ્‍યાસ (ઉર્જીત એન્‍ટરપ્રાઇઝ)ના કાકાશ્રી તથા નિર્માણ બુક સ્‍ટોરવાળા સ્‍વ. ભગવતીપ્રસાદ પંડયાના જમાઇ થતા હતા. સદ્દગતનું બેસણું તા. ૧૯ ના સાંજે પ થી ૭, સર્વેશ્‍વર મહાદેવ મંદિર, મીલપરાનગર મેઇન રોડ, ઇનોવેટીવ સ્‍કુલની સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.