News of Thursday, 26th November 2020
ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન ડો.અજય લોધાને IAPC એ શ્રદ્ધાંજલિ આપી : પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું : જાનની પરવા કર્યા વિના લોકોને કોરોના સામે રક્ષણ અપાવ્યું : છેલ્લા એક મહિના દરમિયાન પોતે કોરોનનો ભોગ બન્યા : લોકો માટે શહીદ થનાર રાજપૂત યોદ્ધાને વોરંટીઅર હીરો ગણાવ્યા
ન્યુયોર્ક : તાજેતરમાં ' ઈન્ડો અમેરિકન પ્રેસ ક્લ્બ ' ( IAPC ) ના ઉપક્રમે ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન ડો.અજય લોધાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તથા તેના પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું હતું.
આ તકે ' ઈન્ડો અમેરિકન પ્રેસ ક્લ્બ ' ( IAPC ) ના ચેરમેન જોસેફ ચલીલે જણાવ્યું હતું કે આ રાજપૂત યોદ્ધાએ કોમ્યુનિટીના રક્ષણ માટે જાનની પરવા કર્યા વિના સેવાઓ આપી અને અંતે પોતે કોરોનનો ભોગ બન્યા.તેમની આ શહીદીને લોકો હંમેશા યાદ રાખશે.તેમણે ડો.અજયને શ્રદ્ધાંજલિ આપી હતી તથા વોરંટીઅર હીરો ગણાવ્યા હતા તથા તેમના પરિવારને આશ્વાસન પાઠવ્યું હતું. તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.
(7:29 pm IST)