અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનની સંભવિત કેબિનેટમાં 3 ઇન્ડિયન અમેરિકનને સ્થાન મળે તેવી શક્યતા : પૂર્વ સર્જન જનરલ શ્રી વિવેક મુર્થી , પેપ્સિકોના પૂર્વ ચેરપર્સન સુશ્રી ઇન્દ્રા નૂયી ,તથા પ્રોફેસર શ્રી અરુણ મજુમદાર ઉપર પસંદગીનો કળશ ઢોળાય તેવો સ્થાનિક અખબારોનો અહેવાલ
વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનની સંભવિત કેબિનેટમાં 3 ઇન્ડિયન અમેરિકનને સ્થાન મળે તેવી શક્યતા સ્થાનિક વર્તમાનપત્રો દર્શાવી રહ્યા છે.
આ ત્રણ સંભવિત ઇન્ડિયન અમેરિકનોમાં પૂર્વ સર્જન જનરલ શ્રી વિવેક મુર્થી , પેપ્સિકોના પૂર્વ ચેરપર્સન સુશ્રી ઇન્દ્રા નૂયી ,તથા પ્રોફેસર શ્રી અરુણ મજુમદાર ઉપર પસંદગીનો કળશ ઢોળાય તેવી ચર્ચા હોવાનું જાણવા મળે છે.
પૂર્વ સર્જન જનરલ શ્રી વિવેક મુર્થી જો બિડનના કોવિદ -19 અભિયાનના ટોપ એડ્વાઇઝર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.જેઓને સેક્રેટરી ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ સેક્રેટરી તરીકે નિમણુંક મળી શકે છે.
પેપ્સિકોના પૂર્વ ચેરપર્સન સુશ્રી ઇન્દ્રા નૂયી કે જેઓ હાલમાં એમેઝોન કંપનીના બોર્ડ મેમ્બર છે.તેમને કોમર્સ સેક્રેટરી તરીકે પસંદ કરવામાં આવી શકે તેવી ચર્ચા છે.
જયારે સ્ટેનફોર્ડ યુનિવર્સીટી પ્રોફેસર શ્રી અરુણ મજુમદારને સેક્રેટરી ઓફ એનર્જી ની પોસ્ટ માટે પસંદ કરવામાં આવી શકે તેવું વોશિંગટન પોસ્ટ તથા પોલિટિકો માં પ્રસિદ્ધ થયેલી કેબિનેટના સંભવિત ઉમેદવારોની યાદી દ્વારા જાણવા મળે છે.