News of Tuesday, 23rd January 2018
અમેરિકામાં પણ ભારતીયો માટે આસ્થાનું કેન્દ્ર ‘‘હનુમાનજી '' : જયોર્જીયાના આલ્ફારેટૃા શહેરમાં આવેલ હનુમાનજીના મંદિરે દૈનંદિન અભિષેક માટે ભાવિકોની ભીડ : હિન્દુ તહેવારોની ઉજવણી તેમજ ધાર્મિક ક્રિયાકાંડ માટે લોકપ્રિય બની રહેલું મંદિર
જયોર્જીયા : અમેરિકામાં જયોર્જીયાના આલ્ફારેટૃા શહેરમાં આવેલું હનુમાનજી મંદિર ભારતીયો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. જયાં ભારતના તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત દૈનંદિન અભિષેક થાય છે.
મંદિર દ્રારા હિન્દુઓમાં થતી ધાર્મિક વિધિઓ જેવી કે નામકરણ, વિવાહ,ઉપનયન સહિતની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(11:05 pm IST)