અમેરિકાના ન્યુજર્સી સ્થિત જાણીતા સામાજિક કાર્યકર શ્રી જશવંતભાઈ મોદીનું રેલવે અકસ્માતમાં દુઃખદ અવસાન : છેલ્લા 50 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા તથા અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા સ્વ.જશવંતભાઈએ 4 જુલાઈના રોજ 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : અમેરિકાના ન્યુજર્સી સ્થિત જાણીતા સામાજિક કાર્યકર શ્રી જશવંતભાઈ મોદીનું રેલવે અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે.સંનિષ્ઠ ,પ્રમાણિક ,અને મૂક સેવક તેવા જશવંતભાઈ અનેકવિધ સામાજિક સંસ્થાઓમા જીવંન પર્યન્ત કાર્યરત રહ્યા હતા.
ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન ( એફઆઇએ ) , ગોપીઓ ,ગુજરાતી લિટરરી અકાદમી ,એન્જીનીઅર એન્ડ આર્કિટેક્ટ ઓર્ગેનાઇઝેશન ,ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટી ઓફ યુ.એસ.એ ,તથા ઇન્ડિયા હાઉસ જેવી સંસ્થાઓ સાથે તેઓ પાંચ દાયકાથી વધુ સમય સુધી સંકળાયેલા રહ્યા .
મૂળ મુંબઈના વતની એવા શ્રી જશવંત મોદી પાંચ દાયકા અગાઉ જ અમેરિકા આવી વસ્યા હતા.વ્યવસાયે એન્જીનીઅર હોવા ઉપરાંત શરૂઆતના સમયથી જ અનેકવિધ ભારતીય સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.અને ભારતીય સમુદાયને પોતાની સેવાઓ અવિરત ,જીવન પર્યન્ત આપતા રહ્યા.ભારતીયોના સૌથી મોટા સંગઠન એફ.આઈ.એ.ના તેઓ ઉપપ્રમુખ પણ રહ્યા .30 મે 1938 ના રોજ જન્મેલા અને 4 જુલાઈ 2021 ના રોજ અવસાન પામેલા સ્વ.જશવંતભાઈના પરિવારમાં ધર્મપત્ની ચંદ્રિકાબેન ,તથા સંતાનો છે.
પરિવારનો સંપર્ક શ્રી કલ્પેશ મોદીના કોન્ટેક નં 732-336-7084 દ્વારા થઇ શકશે.
પ્રભુ દિવંગતના આત્માને શાંતિ આપે.તેવી પ્રાર્થના .