‘‘એકાંતે ઝળકયા મન'' : ગુજરાતી અમેરિકન લેખિકા શ્રીમતિ રેખાબેન પટેલના ૩ પુસ્તકોનું લોંચીંગ કરાયું : ૨૭ જાન્યુ. ના રોજ GCCI ના ઉપક્રમે વિદેશોમાં વસતા ગુજરાતી સાહિત્યકારોને સન્માનવાના પ્રોગ્રામમાં પદમશ્રી શ્રી વિષ્ણુ પંડયા દ્વારા સન્માન
અમદાવાદ : તાજેતરમાં ૨૩ જાન્યુ. ૨૦૧૮ના રોજ ‘‘ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ'' ગુજરાત સાહિત્ય એકાદમી તથા ગાર્ડી રીસર્ચ ઇન્સ્ટીટયુટના ઉપક્રમે વિદેશોમાં વસતા ગુજરાતી લેખકોને સન્માનવાનો પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં GCCI પ્રેસિડન્ટ શ્રી શૈલેષભાઇ પટવારી NRG કમિટી ચેરમેન શ્રી કે.એચ. પટેલ, પદમશ્રી શ્રી વિષ્ણુ પંડયા, યુ.એસ.એથી આવેલા લેખિકા શ્રીમતિ રેખાબેન પટેલ, ડો. બળવંત જાની, શ્રી સી.બી. પટેલ તથા ૧૦૦ જેટલા NRG તથા સાહિત્ય રસિક આમંત્રિતો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાતી અમેરિકન લેખિકા શ્રીમતિ રેખાબેન પટેલનના ૩ પુસ્તકોનું લોંચીંગ કરાયું હતું. જે ૩ પુસ્તકો ‘‘એકાંતે ઝળકયું મન'', ‘‘તડકાના ફૂલ'' તથા ‘‘અમેરિકાની ક્ષિતિજે'' નું લોકાર્પણ પદમશ્રી શ્રી વિષ્ણુ પંડયાના હસ્તે કરાયું હતું. લેખિકા શ્રીમતિ રેખાબેન પટેલએ પોતાની સફળતાનો શ્રેય પતિ શ્રી વિનોદભાઇ પટેલને આપ્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.