Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

પાકિસ્તાનના નનકાના સાહેબ ખાતે ગુરુ નાનકદેવની 551 મી જન્મ જયંતિ ઉજવવાનો થનગનાટ શરૂ : 30 નવેમ્બરથી શરૂ થનારી ઉજવણીમાં ભાગ લેવા ભારતથી 600 શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન પહોંચ્યા : વાઘા બોર્ડર ઉપર સ્વાગત કરાયું : પાકિસ્તાનમાં 10 દિવસ રોકાશે

ઇસ્લામાબાદ : શીખોના ગુરુ નાનકદેવના જન્મ સ્થાન પાકિસ્તાનના  નનકાના સાહેબ ખાતે તેમની 551 મી જન્મ જયંતિ ઉજવવાનો થનગનાટ શરૂ થઇ ગયો છે. આ ઉજવણીમાં ભાગ લેવા માટે ભારતથી 602 શીખ શ્રદ્ધાળુઓ ગઈકાલ શુક્રવારે પાકિસ્તાન પહોંચી ગયા છે.જ્યાં વાઘા બોર્ડર ઉપર ભારતીય દૂતાવાસના બે અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું .

30 નવેમ્બરથી શરૂ થઇ રહેલી ઉજવણીમાં જોડાવા માટે પહોંચેલા ભારતના આ શીખો 10 દિવસ રોકાશે તથા ત્યાંના અન્ય ગુરુદ્વારાઓની પણ મુલાકાત લેશે તેવું જાણવા મળે છે.

(2:09 pm IST)