Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

વિદેશોમાં વસતા NRI સમૂહને જે તે દેશના ઇન્‍ડિયન કોન્‍સ્‍યુલેટ દ્વારા આધાર કાર્ડ અપાવો : ગોવા ખાતેના કોંગ્રેસના પ્રેસિડન્‍ટ શ્રી શાન્‍તારામ નાયકની ફાઇનાન્‍સ મિનીસ્‍ટર શ્રી અરૂણ જેટલી સમક્ષ રજુઆત

વિદેશોમાં વસતા NRI સમુહને ‘‘આધાર કાર્ડ'' અપાવવાની વ્‍યવસ્‍થા ભારત સરકારે જે તે દેશના ઇન્‍ડિયન કોન્‍સ્‍યુલેટ મારફત કરી આપવી જોઇએ. આ માટે NRI એ ભારત ધકકો ખાવો પડે તે વ્‍યાજબી નથી.

આવી રજુઆત તાજેતરમાં ૨૩ જાન્‍યુ. ૨૦૧૮ના રોજ ગોવા ખાતેના કોંગ્રેસ પ્રેસિડન્‍ટ શ્રી શાન્‍તારામ નાયકે કરી છે. જે માટે તેમણે ફાઇનાન્‍સ મિનીસ્‍ટર શ્રી અરૂણ જેટલીને પત્ર લખ્‍યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(10:52 pm IST)