Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

સાઉથ આફીકા સ્થિત ભારતીય મૂળના માનવ અધિકાર એડવોકેટ 76 વર્ષીય સુશ્રી પ્રિસિલા જાના નું નિધન : નેલ્સન મંડેલા સહિત અનેક આગેવાનોના માનવ અધિકાર માટે કોર્ટમાં લડત આપી હતી

જોહાનિસબર્ગ : સાઉથ આફીકા સ્થિત ભારતીય મૂળના માનવ અધિકાર એડવોકેટ 76 વર્ષીય સુશ્રી  પ્રિસિલા જાના નું નિધન થયું છે.તેમણે નેલ્સન મંડેલા સહિત અનેક આગેવાનોના માનવ અધિકાર માટે કોર્ટમાં લડત આપી હતી .
સાઉથ  આફ્રિકાના માનવ આયોગે આ અંગે જાણકારી આપી હતી.સુશ્રી પ્રિસિલા લાંબા સમયથી બીમાર હતા. દેશમાંથી  વંશીય ભેદભાવને નાબૂદ કરવામાં તેમનું મહત્વનું યોગદાન હતું.તેઓ સાઉથ આફ્રિકા માનવ અધિકાર આયોગના ઉપાધ્યક્ષ રહી ચૂકયા હતા.તેમને આયોગે શ્રદ્ધાંજલિ આપી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:07 pm IST)