Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

પાકિસ્તાનના રિટાયર્ડ જનરલ અસીમ સલીમ બાજવાનું પી.એમ.સલાહકાર પદેથી રાજીનામું નામંજૂર : પત્રકાર નુરાનીએ અસમાન સંપત્તિ હોવાનો આરોપ મુક્યો હતો : તમામ આરોપો અમાન્ય રાખી હોદા ઉપર ચાલુ રહેવાનો પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનનો આદેશ

ઇસ્લામાબાદ : પાકિસ્તાની પત્રકાર અહમદ નુરાનીએ  રિટાયર્ડ જનરલ અસીમ સલીમ બાજવા ઉપર હોદાનો દુરુપયોગ કરી પરિવારના નામે અબજો રૂપિયાની પ્રોપર્ટી બનાવી લીધાનો આરોપ મુકયો હતો. તેથી તેમણે પી.એમ.ના સલાહકાર તરીકે રાજીનામુ આપી દીધુ હતું .પરંતુ પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને તેમનું રાજીનામુ નામંજૂર કર્યું છે.અને તેમણે રજૂ કરેલો બચાવ માન્ય રાખ્યો છે. તથા હોદા ઉપર ચાલુ રહેવાનો આદેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે પત્રકાર નુરાનીએ બાજવા પાસે પરિવારના નામે પાકિસ્તાન તથા 4 દેશોમાં આવકના પ્રમાણમાં અસમાન સંપત્તિ હોવાનો આરોપ મુક્યો હતો.

(1:59 pm IST)