Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ર૦૧૮ની સાલમાં કિવન એલિઝાબેથ બીજા દ્વારા સન્‍માનિત થનારા મહાનુભાવોમાં ભારતીય મુળના શ્રી રણજીત ધીરનો સામવેશ : છેલ્લા ૩પ વર્ષ દરમિયાન આઠ વખત મેજીસ્‍ટ્રેટ કાઉન્‍સીલર તરીકે ચૂંટાઇ આવી સરકારની સેવા કરવા બદલ એવોર્ડ અપાશે

યુ.કે. સ્‍થિત ભારતીય મુળના મેજીસ્‍ટ્રેટ કાઉન્‍સીલર ૭પ વર્ષીય શ્રી રણજીત ધીરને ર૦૧૮ની સાલમાં કિવન એલિઝાબેથ બીજા દ્વારા સન્‍માનિત થનારા મહાનુભાવોની યાદીમાં સ્‍થાન અપાયું છે.

સ્‍થાનિક ગવર્મેન્‍ટને સેવાઓ આપવા બદલ તેમને એવોર્ડ આપી બહુમાન કરાશે તેવું લંડનથી પ્રસિધ્‍ધ થતા યુ.કે. સરકારના ગેઝેટ દ્વારા સારવાર સૂત્રોને જાણવા મળ્‍યું છે.

૧૯૮રથી સાલમાં સૌ પ્રથમવાર કાઉન્‍સીલર તરીકે ચૂંટાયા બાદના ૩પ વર્ષમાં તેઓ આઠ વખત ચુંટાઇ આવ્‍યા છે. તેથી તેમની સેવાઓની નોંધ લઇ ઉપરોકત નિર્ણય લેવાયો છે.

(9:30 pm IST)