લગ્ન બાદ સાસરીમાં પહોંચતા જ નવવધુએ બાળકને આપ્યો જન્મ!
ઉન્નાવ, તા. ૨૨ : નવવધુ વિદાય લઈ પોતાની સાસરીએ પહોંચી અને થોડા સમયમાં તેણે પુત્રને જન્મ આપ્યો. આ ઘટના જોઈને પરિવારજનો ચોંકી ગયા. વરરાજાએ પત્ની સામે પોલીસમાં ફરિયાદ કરી અને વધુના પિતાને તેમની પુત્રીને લઈ જવા માટે કહ્યું છે.
૨૦ ફેબ્રુઆરીના રોજ બિછિયા તાલુકાના જરગામમાં જાન ગઈ હતી. લગ્નવિધી પૂર્ણ થયા બાદ નવવધુને વિદાય આપવામાં આવી. નવવધુ સાસરીમાં પહોંચી અને તેની તબિયત ખરાબ થઈ ગઈ. ઘરની મહિલાઓએ તપાસ કરી તો તેઓ ચોંકી ગઈ અને થોડી જવારમાં નવવધુની પ્રસવ ઘરમાં જ થઈ ગઈ. આ ઘટનાથી લગ્ન માટે ઘરે આવેલા મહેમાનો પણ ચોંકી ગયા.
માથાકુટ બાદ વરરાજાએ પોલીસ સ્ટેશન જઈ પોતાની વાત રજૂ કરી અને પોતાના સસરા અને પત્ની પર છેતરપિંડીનો આરોપ લગાવી આવેદન પત્ર આપ્યું. સફીપુર પોલિસ સ્ટેશનના અધિકારી કુલદીપ ત્રિપાઠીએ જણાવ્યું કે પતિએ તેની સાસરીવાળાઓને આ ઘટનાની માહિતી આપી અને તેમની છોકરીને પરત લઈ જવા માટે કહ્યું છે.