મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

બિહાર ધારાસભા ચૂંટણી : ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કરાયેલ ફ્રી કોરોના વેક્સિનની ઘોષણાં આચાર સંહિતાનો ભંગ નથી : ચૂંટણી પંચની ક્લિનચીટ

પટના : બિહારમાં શરૂ થયેલી ધારાસભાની ચૂંટણી અનુસંધાને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો બહાર પડ્યો હતો.જેમાં પોતે સત્તા ઉપર આવશે તો પ્રજાને ફ્રી કોરોના વેક્સીન આપવાની ઘોષણા કરી હતી.જે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતા રમણે કરી હતી.

આવી ઘોષણા વિરુદ્ધ આરટીઆઈ કાર્યકર્તા સાકેત ગોખલે એ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યું હતું કે કેન્દ્રના મિનિસ્ટર કોઈ એક રાજ્ય માટે મફત વેક્સીન આપવાની ઘોષણા કરી શકે નહીં.પાર્ટી દ્વારા કરાયેલી આ ઘોષણા મતદારોને લલચાવનારી છે.

આ બાબતે ચૂંટણી પંચે આ ઘોષણાને આચાર સંહિતાના ભંગ સમાન નથી તેમ જણાવ્યું હતું.જે માટે છેલ્લી લોકસભાની ચૂંટણીનો અહેવાલ ટાંકી જણાવ્યું હતું કે કોંગ્રેસે પણ જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં 25 કરોડ લોકોને ન્યાય યોજનાનો લાભ આપવાનું વચન આપ્યું હતું જે અંતર્ગત દર મહિને 6 હજાર રૂપિયા આપવાની વાત હતી.

(12:54 pm IST)