મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

મસુરીમાં સાંજે પૂ.મોરારીબાપુની ઓનલાઇન રામકથાનો પ્રારંભ

રાજુલા-જૂનાગઢ-જામનગર,તા. ૩૧: હિમાલયની ગોદમાં સ્થિત, રમણીય પ્રાકૃતિક સૌંદર્ય અને આધ્યાત્મિક ઉર્જા ધરાવતા ઉત્ત્।રાખંડનાં વિશ્વ પ્રસિદ્ઘ પર્યટન સ્થાન મસુરીની ગિરિકંદરાઓમાં રામકથાની ચોપાઈઓ ગૂંજશે. પૂજય મોરારીબાપુની તલગાજરડી વ્યાસપીઠ પરથી ૩૧ ઓકટોબર, શનિવારે શરદપૂર્ણિમા-જેને પૂજય બાપુ 'રાસ -રાત્રિ' કહે છે - ના પ્રારંભ પહેલા, સાંજે ચાર કલાકે બાપુની વ્યાસપીઠની ૮૫૦ મી કથાનાં મંગલ ગાનનો શુભ પ્રારંભ થશે.

કથાના નિમિત્ત્।માત્ર યજમાન મદનલાલ પાલીવાલ તરફથી કથાના આયોજનને આખરી ઓપ આપી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે મોરારીબાપુના કુલ કથાક્રમની ૮૦૦મી કથાના યજમાન પણ શ્રી મદનભાઈ હતા. યોગાનુયોગ, ૮૫૦મી કથાના યજમાન બનવાનો અવસર પણ તેમને જ મળ્યો છે.

૩૧ તારીખે સાંજે ચાર વાગ્યાથી અને પહેલી તારીખે સવારના સાડા નવ વાગ્યાથી આસ્થા ચેનલ અને યુટ્યુબના માધ્યમથી શ્રોતાઓ કથા શ્રવણનો લાભ લઈ શકશે. નવરાત્રીનાં પાવન પર્વ પર, પર્વતરાજ ગિરનારના શિખર પરથી કથાગાન થયેલું. એની આધ્યાત્મિક ઉર્જાથી સભર વ્યાસ વાટિકાના ફ્લાવર્સને શરદપૂર્ણિમાથી પહાડોની રાણી મસુરી પરથી કથાશ્રવણનો લાભ મળશે. દિપાવલીનાં દિપોત્સવ પહેલાં જ કથા શ્રવણ રૂપે દિવાળીની એડવાન્સ ગિફ્ટ પૂજય બાપુ દ્વારા આપવામાં આવી છે. વિશ્વભરના ૧૭૦ દેશના વ્યાસ વાટિકાનાં ફ્લાવર્સ ઉત્સુકતાથી શરદપૂર્ણિમાની રાહ જોઈ રહ્યા છે.

(12:42 pm IST)