ઉત્તર પ્રદેશના આગ્રામાં G-20 દેશોના પ્રતિનિધિઓની પ્રસ્તાવિત મુલાકાતને ધ્યાન રાખતા તાજમહેલ ફેબ્રુઆરીમાં દરરોજ ચાર કલાકથી વધુ સમય સુધી રહેશે બંધ
આગ્રામાં G20ની કોઈ બેઠક યોજાવાની નથી પરંતુ G20 કાર્યકારી જૂથની બેઠકો આ સમયની આસપાસ ઈન્દોર, બેંગલુરુ અને લખનૌમાં યોજાશે અને પ્રતિનિધિઓ આગ્રા જઈ શકે છે.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના આગ્રામાં G-20 દેશોના પ્રતિનિધિઓની પ્રસ્તાવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને, તાજમહેલ અને આગ્રાનો કિલ્લો 12 ફેબ્રુઆરીએ ચાર કલાકથી વધુ સમય માટે બંધ રહી શકે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ નવનીત સિંહ ચહલે સોમવારે જણાવ્યું હતું કે, "આગ્રામાં ફેબ્રુઆરીમાં પ્રસ્તાવિત G-20 બેઠકમાં પ્રતિનિધિઓને આવકારવા માટે તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે."
જો કે, વિદેશ મંત્રાલય દ્વારા અત્યાર સુધી આપવામાં આવેલા શેડ્યૂલ મુજબ, આગ્રામાં G20ની કોઈ બેઠક યોજાવાની નથી. પરંતુ G20 કાર્યકારી જૂથની બેઠકો આ સમયની આસપાસ ઈન્દોર, બેંગલુરુ અને લખનૌમાં યોજાશે અને પ્રતિનિધિઓ આગ્રા જઈ શકે છે.
ચહલે કહ્યું, "12 ફેબ્રુઆરીએ, સ્મારક સંકુલ મુલાકાતીઓ માટે ત્રણથી ચાર કલાક માટે અથવા વિદેશી પ્રતિનિધિઓની તાજમહેલ અને આગ્રા કિલ્લાની મુલાકાત દરમિયાન ચોક્કસ સમયગાળા માટે બંધ રાખવામાં આવી શકે છે. મુલાકાતીઓની સુવિધા માટે સ્મારકોને બંધ કરવા અંગેની સૂચનાઓ અગાઉથી જારી કરવામાં આવશે."