News of Thursday, 30th June 2022
મહારાષ્ટ્રમાં જે થયું તે ભારત જેવા લોકતંત્ર માટે શરમજનક
ભાજપ અને એકનાથ શિંદે જૂથની સરકાર પર કોંગ્રેસના નેતા જયરામ રમેશે નિશાન સાધ્યું
મહારાષ્ટ્રમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથની સરકાર પર કોંગ્રેસના નેતા જયરામ રમેશે નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે મહારાષ્ટ્રમાં જે થયું તે ભારત જેવી લોકતંત્ર માટે શરમજનક બાબત છે. નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભાજપ કોઈપણ ભોગે સત્તા મેળવવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે સત્તા તેમની પાસે રહે અથવા ખુરશીનો દરવાજો તેમના હાથમાં રહે.
(9:28 pm IST)