મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

કેશુભાઇ પટેલ અને અકિલા પરિવાર વચ્ચે આત્મીય નાતો : ગયા દિવસો રહ્યાં સંભારણા

રાજકોટ : ગુજરાતના દિગ્ગજ નેતા પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલનું આજે સવારે ૯ર વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. બાપા અને અકિલા પરિવાર વચ્ચે દાયકાઓથી અનન્ય આત્મીય નાતો હતો. તેમણે અકિલાના આમંત્રણને માન આપી કેટલીયે વખત અકિલા કાર્યાલયની મુલાકાત લીધેલ. અકિલા પરિવાર વતી પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રા, એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષ ગણાત્રા વગેરેએ દરેક વખતે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. બાપા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ હતાં. તેમનું આમંત્રણ સ્વીકારી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા અકિલા પરિવારના ડો. અનિલ દશાણીએ બે વખત સોમનાથ દર્શન અને મુલાકાતનો લાભ લીધેલ. શ્રી કેશુભાઇએ સાથે રહીને સોમનાથ તથા આસપાસના વિસ્તારની જાત મુલાકાત કરાવેલ તેમજ વિકાસનું વિગતવાર વર્ણન કર્યું હતું. આ બધા હવે તસ્વીરી સંભારણા રહ્યા છે. અકિલા પરિવાર તેમના દુઃખદ અવસાન અંગે ઉંડા દુઃખની લાગણી અનુભવી શ્રદ્ધાંજલી અર્પે છે. (ફાઇલ તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:27 pm IST)