યૂક્રેનના 4 વિસ્તારો કાલે રૂસમાં થઈ જશે સામેલ : વ્લાદિમીર પુતિન કરશે એલાન
કબ્જાવાળા વિસ્તારોના વિલયની સંધિ પર પુતિન હસ્તાક્ષર કરશે
રૂસ અને યૂક્રેન વચ્ચે છેલ્લા સાત મહિનાથી યુદ્ધ જારી છે. યુદ્ધ દરમિયાન રૂસે યૂક્રેનના ઘણા વિસ્તારો પર કબ્જો કરવાનો દાવો કર્યો હતો કબ્જાવાળા વિસ્તારોને રૂસમાં મર્જ કરવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ જનમત સંગ્રહ પણ કરાવ્યો. જ્યારે હવે શુક્રવાર એટલે કે 30 સપ્ટેમ્બરે પુતિન જનમત સંગ્રહના પરિણામોનું એલાન કરશે. આ સાથે તેઓ કબ્જાવાળા વિસ્તારોના વિલયની સંધિ પર હસ્તાક્ષર કરશે.
રૂસી રાષ્ટ્રપતિના કાર્યાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે તેઓ તમામ ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને તે વિસ્તારોની રક્ષા માટે તૈયાર છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે સંવાદદાતાઓને કહ્યું, ‘રૂસી સંઘમાં વિસ્તારોના પરિગ્રહણ પર સંધિયો’ પર હસ્તાક્ષર સ્થાનીક સમયાનુસાર બપોરે 3 વાગ્યે ક્રેમલિનના સેન્ટ જૉર્જ હૉલમાં થશે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કાર્યાલય ક્રેમલિને એક નિવેદનમાં કહ્યું કે શુક્રવારે રૂસ, યૂક્રેનના 4 વિસ્તારોને સત્તાવાર રીતે પોતાનામાં સમ્મિલિત કરી લેશે. રિપોર્ટ પ્રમાણે, શુક્રવારે તેના માટે એક કાર્યક્રમ આયોજિત કરી એ વિસ્તારોને રૂસનો ભાગ જાહેર કરી દેવામાં આવશે. કાયદા અનુસાર, રૂસની ફેડરેશન કાઉન્સિલને પુતિન દ્વારા હસ્તાક્ષર કરવાના પહેલા સંધિયોને મંજૂરી આપવી પડશે, પણ એ સ્પષ્ટ નથી કે ફેડરેશન કાઉન્સિલની બેઠક ક્યારે થવાની છે