મુખ્ય સમાચાર
News of Thursday, 29th September 2022

અલીગઢ મીટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના:એમોનિયા ગેસ લીક થવાથી 100થી વધુ કામદાર બેભાન

જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં લગભગ 45 દર્દીઓ દાખલ:અન્ય મજૂરોની ખાનગી હોસ્પિટલમાં સારવાર :મજૂરોમાં સ્ત્રી-પુરુષો ઉપરાંત નાના બાળકોનો પણ સમાવેશ

અલીગઢની મીટ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થવાને કારણે 100થી વધુ કામદારો બેહોશ થઈ ગયા હતા. જેમાં મહિલાઓ અને પુરૂષોનો સમાવેશ થાય છે. તેમને જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના રોરાવર પોલીસ સ્ટેશન વિસ્તારની અલ દુઆ મીટ ફેક્ટરીની છે. માહિતી મળતાં જ વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને રાહત કાર્યમાં લાગેલું છે.

  જણાવવામાં આવી રહ્યું છે કે ઘણા સમયથી ફેક્ટરી માલિકે ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ, રોરાવર પોલીસ સ્ટેશન વિસ્તારના મથુરા બાયપાસ સ્થિત અલ દુઆ મીટ ફેક્ટરીમાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે ફેક્ટરીમાં અચાનક એમોનિયા ગેસ લીક થવા લાગ્યો. ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજ થતાં નાસભાગ મચી ગઈ હતી. જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં લગભગ 45 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. અન્ય મજૂરોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનામાં ઘણા બાળકો બેહોશ પણ થઈ ગયા છે. ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે

ઘટનાની જાણકારી પર જિલ્લા અધિકારી ઈન્દર વિક્રમ સિંહ સિવાય એસએસપી કલાનિધિ નૈથાની પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે અલ દુઆ મીટ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થયો છે. જેના કારણે ઘણા લોકો બેહોશ થઈ ગયા છે. દર્દીઓને જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના પાછળનું કારણ શું છે, આ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તે જ સમયે, ફેક્ટરીમાં કામ કરતા કામદારોના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજના ડોક્ટરોને બેભાન કામદારોની તાત્કાલિક સારવાર શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મજૂરોને બસ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. દર્દીઓની વધતી સંખ્યાને જોતા હોસ્પિટલ પ્રશાસન અલગથી બેડ વધારવાનું વિચારી રહ્યું છે. આ સાથે હોસ્પિટલના સ્ટાફને દર્દીઓની યોગ્ય કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે.ડીએમ પોતે હોસ્પિટલ પ્રશાસન સાથે વાત કરીને તમામ વ્યવસ્થાનો સ્ટોક લઈ રહ્યા છે.

(7:39 pm IST)