મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

સુપ્રિમ કોર્ટે ભાજપના 12 ધારાસભ્યોનું સસ્પેન્શન રદ બાદ ફડણવીસ અને ઉર્મિલા વચ્ચે ટિવટર વોર જામ્યું

દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું તેનો જવાબ અભિનેત્રી અને શિવસેનાના નેતા ઉર્મિલા માતોંડકરે આપ્યો

મુંબઈ :સુપ્રિમ કોર્ટે ભાજપના 12 ધારાસભ્યોના સસ્પેન્શનને રદ કરી દીધું છે. વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન સ્પીકર પાસે આવીને બૂમો પાડવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના વિરોધમાં ભાજપ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. સુપ્રીમ કોર્ટે આ ધારાસભ્યોના સસ્પેન્શનને રદ કરતા મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારને આંચકો આપ્યો છે.

કોર્ટના આ નિર્ણય બાદ પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું. તેનો જવાબ અભિનેત્રી અને શિવસેનાના નેતા ઉર્મિલા માતોંડકરે આપ્યો હતો. ઉર્મિલા માતોંડકર પર વળતો પ્રહાર કરતા ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે નિવેદન આપ્યુ હતું. ત્યારબાદ ભાજપ અને શિવસેના વચ્ચે જોરદાર ટ્વિટર વોર શરૂ થઈ ગયું.

દેવેન્દ્ર ફડણવીસે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં બંધારણના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો હતો. મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા સરમુખત્યારશાહી ચાલી રહી હતી. આના ઉપર સુપ્રીમ કોર્ટે તેમને જોરદાર ફટકાર લગાવી છે. આ માત્ર 12 ધારાસભ્યોનો પ્રશ્ન નહોતો. તેમના વિસ્તારના 50 લાખથી વધુ મતદારોનો પ્રશ્ન હતો, જેમણે આ ધારાસભ્યોને વિશ્વાસ આપીને ચૂંટ્યા હતા. આજે લોકશાહીનું રક્ષણ થયું છે.

 

ઉર્મિલા માતોંડકરે દેવેન્દ્ર ફડણવીસના ટ્વીટને રીટ્વીટ કરતા કટાક્ષ કરતુ એક ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું, ‘અભિનંદન! લોકશાહી ટકી છે, એ આનંદની વાત છે. પણ અધ્યક્ષ મહોદય, આ જ મહારાષ્ટ્રમાં છેલ્લા એક વર્ષથી રાજ્યપાલ દ્વારા 12 ધારાસભ્યોની (MLC) નિમણૂક સાથે જોડાયેલી ફાઇલ પડેલી છે. તેમની નિમણૂક પર રોક લગાવવામાં આવી છે. શું તમે ક્યારેય આના પર પ્રશ્ન ઉઠાવશો ? અહીં માત્ર 50 લાખનો પ્રશ્ન નથી, પરંતુ મહારાષ્ટ્રના 12 કરોડથી વધુ મતદારોનો પ્રશ્ન છે.

ઉર્મિલા માતોંડકરના દ્વારા ફડણવીસ પર ઉઠાવેલા આ સવાલનો જવાબ ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે આપ્યો. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું, ‘થોડી માહિતી ભેગી કરો. મેં સાંભળ્યું કે તમે સારું ભણ્યા છો. પીપળ (ઉગચ વડાચી સાલ પીંપળા લાઉ નકા) પર વડના ઝાડની છાલ ચોંટાડશો નહીં. બંને મુદ્દા સંપૂર્ણપણે અલગ છે. તમામ નિયમોને ધ્યાનમાં રાખીને ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તમારી વિધાનસભાની વાત કરીએ તો આ મુદ્દાને લઈને લોકો લોક અદાલતમાં ગયા હતા, પરંતુ કોર્ટે કશું કહ્યું નહીં.

તેના જવાબમાં ઉર્મિલા માતોંડકરે વધુ એક ટ્વિટ કર્યું. તેણે લખ્યું, ‘બંને મુદ્દા અલગ છે, એટલા માટે અભિનંદન/અભિનંદન. પરંતુ પ્રશ્ન મહારાષ્ટ્રના લોકોના અધિકારોનો છે અને લોકશાહીનો તો છે જ. તેથી, ‘વડનુ વૃક્ષ (વડાચી સાલ)’ ને બદલે, તમારા સંબંધમાં તે યોગ્ય રહેશે – ‘જો પોતાનો પુત્ર કરે તો શરારત, જો કોઈ અન્યનું બાળક કરે તો બદમાશી’ (આપલાથી બાબાયા, દસ-યાચે તે કાર્ટે). મારી ધારાસભાની ચિંતા કરશો નહીં. તેના કારણે મારું કામ અટકતું નથી.

ઉર્મિલા માતોંડકરના આ જવાબ પર ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે પલટવાર કર્યો અને લખ્યું, ‘તમારી બધી ગભરાટ અને નારાજગી માત્ર વિધાનસભા માટે છે. આ તમારા ટ્વિટ પરથી સમજી શકાય છે. મહારાષ્ટ્રમાં ઘણા ગંભીર મુદ્દા આવ્યા અને ગયા. તમે ક્યારેય તેમના પર ટિપ્પણી કરી નથી. રાજ્યપાલ દ્વારા નોમિનેટ કરવામાં આવનાર ધારાસભ્યો (MLCs)ની નિમણૂકને લટકાવવાનો મામલો આવ્યો કે દરેક જગ્યાએ તમારી પ્રતિક્રિયાઓ દેખાવા લાગી. વેલ, વિધાનસભા માટે શુભકામનાઓ

(12:39 am IST)