મુખ્ય સમાચાર
News of Thursday, 22nd February 2018

ભાજપ ચર્ચ, ધર્મ અને ભગવાન ખરીદી ન શકેઃ રાહુલના પ્રહાર

પૂર્વોતર રાજયોમાં કોંગ્રેસને નવજીવન આપવા માટે મેદાનમાં ઉતરેલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ  શીલોંગ ખાતે રોડ- શો કર્યો હતો. રોડ- શો દરમ્યાન રાહુલ ગાંધીએ ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવેલ કે તેઓ મેઘાલયમાં કોંગ્રેસ ધારાસભ્યોને ખરીદીને સરકાર બનાવી શકે છે. ભાજપ અહીંના ચર્ચોને કરોડો રૂપીયા દેવા તૈયાર છે. જો ભાજપ એવું વિચારે છે કે તે અહીં આવીને ચર્ચ, ધર્મ અને ભગવાનને ખરીદી શકે છે તો તેમનો આ વિચાર સદંતર ખોટો છે.

(12:51 pm IST)