મુખ્ય સમાચાર
News of Sunday, 27th November 2022

નરેન્દ્ર ભાઈ મોદીના શિક્ષક, રાસબિહારી મણિયારનું દુઃખદ અવસાન: નરેન્દ્રભાઈએ ઘેરો શોક વ્યક્ત કર્યો

વડનગર ની શાળામાં નરેન્દ્ર ભાઈને ભણાવનાર રાસબિહારી મણિયારનું અવસાન થયું છે.

વડાપ્રધાન આ સમાચાર સાંભળી ભાવુક થઈ ગયા હતા અને કહેલ કે મારા જીવન ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો છે. હું જીવનના આ પડાવ સુધી તેમની સાથે જોડાયેલો રહ્યો અને એક વિદ્યાર્થી હોવાના નાતે મને સંતોષ છે કે જીવનભર મને તેમનું માર્ગદર્શન મળતું રહ્યું. વડનગરની શાળામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યાં ભણતા હતા ત્યાં રાસ બિહારી ભાઈ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

(8:19 pm IST)