૨૪ કલાકમાં ૪૩૦૮૨ કેસઃ ૪૯૨ના મોત
દેશમાં કુલ કેસ ૯૩૦૯૭૮૭: મૃત્યુઆંક ૧૩૫૭૧૫: એકટીવ કેસ ૪૫૫૫૫૫ : વિશ્વમાં કુલ કેસ ૬૧૩૦૮૧૬૧: કુલ મૃત્યુઆંક ૧૪૩૭૮૩૫: એકટીવ કેસ ૧૭૪૭૪૯૬૫ છે
નવી દિલ્હી, તા. ૨૭ :. દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને ૯૩૦૯૭૮૭ની થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૩૦૮૨ નવા કેસ આવ્યા છે અને ૪૯૨ લોકોના મોત થયા છે.
દેશમાં કુલ મૃત્યુઆંક ૧૩૫૭૧૫ થયો છે અને અત્યાર સુધીમાં ૮૭૧૮૫૧૭ લોકો સાજા થયા છે. એકટીવ કેસ ૪૫૫૫૫૫ છે. ગઈકાલે ૧૧૩૧૨૦૪નંુ ટેસ્ટીંગ થયુ હતુ. આ સાથે કુલ ૧૩૭૦૬૨૭૦૪ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યુ છે. દેશમા રીકવરી રેટ ૯૪.૬૧ ટકા થયો છે. દિલ્હીમાં ગઈકાલે ૯૯ લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં ૮૭૨૦ લોકોના મોત થયા છે. ૨૪ કલાકમાં ૫૨૪૬ નવા કેસ આવ્યા છે.
વિશ્વમાં કુલ કેસ ૬૧૩૦૮૧૬૧ થયા છે અને ૧૪૩૭૮૩૫ લોકોના મોત થયા છે. એકટીવ કેસ ૧૭૪૭૪૯૬૫ છે. અમેરિકામાં ૧૩૨૪૮૬૭૬ કેસ છે અને અત્યાર સુધીમાં ૨૬૯૫૫૫ લોકોના મોત થયા છે. અહીં એકટીવ કેસ ૫૧૩૨૨૪૬ છે.