મુખ્ય સમાચાર
News of Tuesday, 26th January 2021

શરદ પવારે સરકારના વલણને વખોડ્યું : ખેડૂતોને ઘેર પાછા ફરવા અપીલ

પૂર્વ કૃષિમંત્રી પવારે કહ્યું -સરકારને દોષ મુકવાની ખેડૂતોએ તક ન આપવી જોઈએ

નવી દિલ્હી : પૂર્વ કૃષિ પ્રધાન શરદ પવારે આજની ઘટનાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને ઘરે પરત આવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું- 'આજે આંદોલનને જે રીતે હાથ ધરવામાં આવ્યું તે ખેદજનક છે. વિપક્ષમાં બેઠેલા આપણે બધા જ ખેડુતોને સમર્થન આપીએ છીએ અને હું અપીલ કરું છું કે હવે તમારે (ખેડુતો) શાંતિપૂર્ણ રીતે પોતપોતાના ગામોમાં પાછા ફરવા જોઈએ અને સરકારે તમારા પર દોષ મૂકવાની કોઈ તક ન આપવી જોઈએ.

(7:55 pm IST)