News of Tuesday, 26th January 2021
લશ્કરનું હેલિકોપ્ટર તૂટી પડતા એક પાયલોટનું અવસાન અને બીજા પાયલોટની ગંભીર સ્થિતિ
( સુરેશ ડુગ્ગર દ્વારા ) જમ્મુ :જમ્મુ-પંજાબ બોર્ડર ઉપર લશ્કરનું હેલિકોપ્ટર ટેક્નિકલ ખામીને લીધે તૂટી પડતા લેફ્ટનન્ટ કર્નલ રિષભ શર્માનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું છે જ્યારે બીજા પાયલોટ કેપ્ટન અંજની કુમાર સિંધ ગંભીર સ્થિતિમાં વેન્ટિલેટર ઉપર છે. પઠાણકોટના મેમૂન કેન્ટ થી નીકળેલ ધ્રુવ હેલીકોપ્ટર તૂટી પડયું હતું. બંને પાયલોટને પઠાણકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ ત્યાં લેફ્ટનન્ટ કર્નલ શર્માનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
(10:11 am IST)