News of Thursday, 26th November 2020
અહેમદભાઈ પટેલનો પાર્થિવદેહ વડોદરા પહોંચ્યો : કાલે તેમના વતન પીરામણ ખાતે દફનવિધી થશે
દફનવિધીમાં રાહુલ ગાંધી, અશોક ગેહલોત અને કમલનાથ સહિતના નેતાઓ ગુજરાત આવશે.
વડોદરા : કોંગ્રેના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદભાઈ પટેલનું કોરોનાની લાંબી બિમારી બાદ નિધન થયું છે. અહેમદભાઈ પટેલનો પાર્થિવદેહ વડોદરા પહોંચી ગયો છે. વડોદરાથી અહેમદભાઈ પટેલના પાર્થિવદેહને તેમના વતન પીરામણ ખાતે લઇ જવાશે. આવતીકાલે 10 વાગ્યે પીરામણ ખાતે દફનવિધી થશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની દફનવિધીમાં રાહુલ ગાંધી, અશોક ગેહલોત અને કમલનાથ સહિતના નેતાઓ ગુજરાત આવશે.
(12:00 am IST)