મુખ્ય સમાચાર
News of Sunday, 25th February 2018

ભારતીય સેનાના જડબાતોડ જવાબથી પાકિસ્તાને સરહદી વિસ્તારના અનેક ગામડાઓને ખાલી કરાવ્યા

પાકિસ્તાની સૈનિકોએ લાઉડ સ્પિકરથી ગામડા ખાલી કરાવવાની ઘોષણા કરતા લોકોમાં ભાગદોડ

નવી દિલ્હી :જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં શસ્ત્ર વિરમનો ભંગ કરતા ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતા ભારતીય સેનાની કાર્યવાહીના કારણે પાકિસ્તાને સરહદી વિસ્તારમાં આવેલા અનેક ગામડાઓને ખાલી કરાવ્યા છે.પાકિસ્તાન રેન્જર્સે અનેક ગામડાઓને ખાલી કરવાની શરૂઆત કરી હતી પાકિસ્તાની રેન્જર્સે હજારો લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને 19 ફેબ્રુઆરીન રોજ સરહદી વિસ્તારમાં સિઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જે બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબતોડ જવાબ આપવાની કાર્યવાહી હાથ ધરી છે. ભારતે કરેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં આવેલા ગામડાઓમાં સન્નાટો પ્રસરી ગયો છે
    પાકિસ્તાને શનિવારે ભારતીય સીમાને નિશાન બનાવી હતી. પાકિસ્તાને ઉરીના ત્રણ ગામડાને નિશાન બનાવ્યા. જેમા ચુરાંડા, સિલિકોટ અન તિલાવરી ગામનો સમાવેશ થાય છે. પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં અનેક રહેણાક વિસ્તારોમાં નુકસાન થયું છે.સિલિકોટના લોકોના જણાવ્યા પ્રમાણે સંદિગ્ધ પાકિસ્તાની સૈનિકોએ લાઉડ સ્પિકરથી ગામડા ખાલી કરાવવાની ઘોષણા કરતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.

(6:28 pm IST)