થોડા જ દિવસોની મહેમાન રાજસ્થાનની ગેહલોત સરકારઃ ગુલાબચંદ કટારીયા
ચૂંટણી સભામાં પૂર્વ ગૃહમંત્રીનું નિવેદન
કુશલગઢ તા. રપ : નેતા વિપક્ષ અને રાજસ્થાનના પૂર્વ ગૃહમંત્રી ગુલાબચંદ કટારીયાએ ફરી એકવાર જણાવેલ કે રાજયમાં ગેહલોત સરકાર થોડા દિવસોની મહેમાન છે. સરકારને હજી ત્રણ વર્ષ બાકી છે પણ સચીન પાટલોટનો મામલો હજી તાજો છે. તેવામાં નગરપાલિકા ચુંટણીની સભામાં કટારીયાનું નિવેદનના અનેક અર્થો કાઢવામાં આવી રહ્યા છે.તેમણે વધુમાં જણાવેલ કે દાવફેલ થઇ ગયો નહીંતર સરકાર કયારની પડી ગઇ હોત. તેમણે મંત્રીમંડળ વિસ્તાર થતા જ સરકાર પડવાનો દાવો કરેલ અને કોંગ્રેસ ઉપર હુમલો કરતા જણાવેલ કે તેઓએ હંમેશા બદલાની ભાવનાથીજ કામ કર્યું ભાજપે લોકોના દિલ જીત્યા છે.કટારીયાના નિવેદન ઉપર કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષક, મહેન્દ્રજીતસિંહ માલવીયાએ જણાવેલ કે પહેલા પણ ષડયંત્ર રચ્યુ પણ ભાજપના નાકામ રહેલ. હવે ફરી સરકાર પાડવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપના જ એક જુથે કોંગ્રેસની મદદ કરી હતી.