મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

રાજસ્થાનના ચુરૂની ગૌશાળામાં ૯૪ ગાયનાં મોત

જયપુર,તા. ૨૪: રાજસ્થાનના ચુરૂ જિલ્લાના બાઇલોબાસ ગામમાં આવેલી ગૌશાળામાં છેલ્લાં બે દિવસમાં શનિવારે કોઈ અકળ કારણોસર લગભગ ૯૪ જેટલી ગાય મૃત્યુ પામી હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે ૮૦ ગાયો તો ગઈ કાલે ૧૪ ગાયો મરણ પામી હતી.

ગાયોનાં મૃત્યુ ખોરાકી ઝેરની અસર, અસાધ્ય રોગને કારણે કે પછી અન્ય કારણોસર થયાં છે તે જાણવા માટે આ બાબતની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે એમ સરદાર શહરના તહેસીલદાર કુટેન્દ્ર કુંવરે જણાવ્યું હતું. ગાયોને આપવામાં આવેલાં ખોરાકનાં સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.

(10:08 am IST)