News of Thursday, 24th September 2020
પરમાણુ ક્ષેત્રમાં એમની અહમ ભૂમિકાઃ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડોકટર શેખર બસુના નિધન પર શોક વ્યકત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડોકટર શેખર બસુના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યકત કર્યો છે. પ્રધાનમંત્રીએ ટવિટ કર્યુ ડોકટર શેખર બસુ એ ભારતને પરમાણુ વિજ્ઞાન અને એન્જીનીયરીંગમાં અગ્રણી દેશના રૃપમાં સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. પરમાણુ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન માટે ડોકટરબસુને પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
(11:02 pm IST)