મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

તમારા બધા જ નવરત્નો આવા કેમ ? : તેજસ્વી યાદવે પૂછ્યો નીતીશકુમારને સણસણતો સવાલ

JD(U) ના કાર્યકારી પ્રમુખ અને મંત્રી અશોક ચૌધરીની પત્ની પર બેંકમાંથી કરોડોની છેતરપીંડીનો આરોપ : તેજસ્વીએ પૂછ્યું કે તમારા બધા જ નવરત્નો ગુનાઇત પૃષ્ઠભૂમિ અને ભ્રષ્ટાચારી જ કેમ છે?

બિહારમાં નીતિશ કુમારની સરકાર બની ત્યારથી મુખ્ય વિપક્ષી દળ રાષ્ટ્રીય જનતા દળ RJD તેમની પર સતત આક્રમક છે. રવિવારે RJD એ ફરી એકવાર મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર નિશાન સાધ્યું અને પૂછ્યું કે તમારા બધા જ નવરત્નો ગુનાઇત પૃષ્ઠભૂમિ અને ભ્રષ્ટાચારી જ કેમ છે? અને તમારા મંત્રીઓને ભ્રષ્ટાચાર મોટી વાત કેમ નથી લાગતી?

RJD નેતા તેજસ્વી યાદવે એક ટ્વિટમાં આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર ના મુકુટમણિ, JD(U) ના કાર્યકારી પ્રમુખ અને મંત્રી અશોક ચૌધરીની પત્ની પર બેંકમાંથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.

RJD નેતાએ પોતાના ટ્વિટ સાથે એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં અશોક ચૌધરી કહેતા જોવા મળ્યા હતા કે હાઈકોર્ટે આ કેસને ફગાવી દીધો હતો અને સુપ્રીમ કોર્ટમાં તેમના પક્ષને સાંભળવામાં આવ્યો નથી , જ્યારે તારીખ આવશે ત્યારે તે પોતાનો પક્ષ રાખશે, આમાં મોટી શું મોટી વાત છે?

જોકે તેજસ્વી યાદવ એ કહ્યું કે તેમની ઇમાનદારી જુઓ. એવું કહી રહ્યા છે કે પત્નીનો ભ્રષ્ટાચાર કોઈ મોટી વાત નથી!, પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી RJD એ સવાલ કર્યો હતો કે નીતિશ કુમાર ના નવરત્નમાં શા માટે બધા જ ગુનેગારો અને ભ્રષ્ટ છે? RJD એ કહ્યું કે જો તેમના મંત્રીઓ કરોડોના ભ્રષ્ટાચાર અંગે પ્રશ્નો પૂછો તો તેઓ કહે છે કે ભ્રષ્ટાચાર એ કોઈ મોટી વાત નથી.

(9:07 pm IST)