યુ.પી.ના સોનભદ્ર અને મીરઝાપુરને પીવાનું શુદ્ધપાણી મળશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયયો કોન્ફરન્સથી ગ્રામીણ પૈયજળ પ્રોજેકટનો શિલાન્યાસ કર્યો
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સોનભદ્ર અને મિર્ઝાપુર માટે 23 ગ્રામીણ પાઈપ પેયજળ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. સીએમ યોગી જનપદ સોનભદ્રથી આ આયોજનમાં સામેલ થયા. લગભગ 5500 કરોડના ખર્ચે આ યોજનાઓથી લગભગ 42 લાખની વસ્તીને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પીવાના પાણીની સમસ્યા ઝેલી રહેલા વિંધ્ય ક્ષેત્રના લોકોને આ પ્રોજેક્ટ શરૂ થવાથી ઘણો લાભ થશે.
આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે વિંધ્ય પર્વતનો આ વિસ્તાર પ્રાચીનકાળથી જ વિશ્વાસ, પવિત્રતા, આસ્થાનું એક મોટું કેન્દ્ર રહ્યું છે. રહીમદાસજીએ પણ કહ્યું છે કે "જા પર વિપદા પરત હૈ, સો આવત એહીં દેસ". આઝાદીના દાયકાઓ બાદ પણ આ વિસ્તાર ઉપેક્ષાનો શિકાર રહ્યો છે. આ સંપૂર્ણ વિસ્તાર સંસાધનો છતાં અભાવનું ક્ષેત્ર બની ગયું. આટલી નદીઓ હોવા છતાં આ વિસ્તારની ઓળખ સૌથી વધુ તરસ્યા, દુષ્કાળ પ્રભાવિત વિસ્તાર તરીકેની રહી.