મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

બિહારની નીતીશ સરકાર આકરા પાણીએ : હવે સોશિઅલ મીડિયા ઉપર આપત્તિજનક ટિપ્પણી કરનાર ઉપર કાયદેસર કાર્યવાહી કરાશે : અફવા ફેલાવનાર ,લોકોને ભ્રમિત કરનાર વ્યક્તિ તથા ગ્રુપ ઉપર તવાઈ : મંત્રીઓ ,સાંસદો , નેતાઓ કે સરકારી અધિકારીઓ વિષે એલફેલ લખાણ કે વિડિઓ મૂકી શકાશે નહીં

પટણાં : બિહારના મુખ્યમંત્રી તરીકે ચાર્જ લીધાના થોડા દિવસોમાં જ નીતીશકુમારે સપાટો બોલાવવાનું શરૂ કરી દીધું છે.જે મુજબ સોશિઅલ મીડિયા જેવા કે વ્હોટ્સ એપ ,ટ્વીટર ,ફેસબુક ,સહિતના માધ્યમો ઉપર મંત્રીઓ ,સાંસદો ,નેતાઓ ,કે સરકારી અધિકારીઓ વિષે એલફેલ લખનાર કે તેમની બદનામી કરનાર વ્યક્તિઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરાશે.

ઉપરાંત અફવા ફેલાવનાર ,લોકોને ભ્રમિત કરનાર વ્યક્તિ તથા ગ્રુપ ઉપર કાયદેસર પગલાં લેવાશે તેવો રાજ્યના પોલીસ અધિકારીએ આદેશ બહાર પાડ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:42 am IST)