મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

જમ્મુ કાશ્મીરના ટોચના ૧૦ માંથી ૩ આતંકીઓને ફૂંકી માર્યા : ૩૬ કલાકમાં ૬ આતંકીઓ ઠાર મરાયા : હજુ અનેક આતંકીઓ સુરક્ષા દળોના નિશાન ઉપર

પોલીસ વડા વિજયકુમારે કહ્યું છે કે પુલવામાના ત્રાલના ઉપરી વિસ્તારોમાં માર્યા ગયેલા જૈશ-એ-મહોમ્મદના ત્રણ આતંકીઓમાં ટોચનો વકીલ શાહ પણ સામેલ છે. આ આતંકીએ આ જ વર્ષના જૂન મહિનામાં ભાજપના નેતા રાકેશ પંડિતની હત્યા કરી હતી. ત્રાલના જંગલોમાં છુપાયેલા આ ત્રણેયને લશ્કર - પોલીસ અને સીઆરપીએફના સંયુકત ઓપરેશનમાં ફૂંકી મારવામાં આવેલ છે. જંગલોમાં સર્ચ ઓપરેશન ચાલુ છે અને હજુ કેટલાક આતંકીઓ છુપાયેલા હોવાનું માનવામાં આવે છે.

(5:00 pm IST)