News of Saturday, 21st August 2021
આવતીકાલે અમરનાથ યાત્રા સમાપ્ત થશે : છડી મુબારક હેલીકોપ્ટરથી ગુફા સુધી લઈ જવાશે
અમરનાથ યાત્રાની પ્રતિક છડી મુબારકને પવિત્ર ગુફા સુધી આવતીકાલે રક્ષાબંધનના દિવસે લઈ જવાશે. રક્ષાબંધન ઉપર છડી પહેલગામમાં રોકાશે અને બીજે દિવસે ૨૩ ઓગષ્ટના રોજ પહેલગામ પાસે આવેલ લીદર નદીમાં છડી વિસર્જન પૂજા સાથે તેનું સમાપન થશે. આ વર્ષે લગાતાર કોરોના મહામારીને કારણે બીજી વખત અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી છે. દર વર્ષે છડી મુબારક કાશ્મીરના ઐતિહાસિક મંદિરોમાં રોકાઇને પરંપરા મુજબ પહલગામના રસ્તે પવિત્ર ગુફા સુધી પહોંચતી રહી છે, પરંતુ છેલ્લા બે વર્ષથી આ સંભવ બની શકતુ નથી. એટલે છેવટે પરંપરાને જાળવી રાખવા હેલીકોપ્ટરમાં મર્યાદીત સાધુઓ સાથે છડી મુબારકને પવિત્ર ગુફા સુધી લઈ જવામાં આવશે.
(5:00 pm IST)