News of Saturday, 21st August 2021
આજથી તાજમહેલ રાત્રીના પણ ખુલશે
નવી દિલ્હી, તા. ર૧ : કોરોનાને કારણે રાત્રીના દીદાર માટે એક વર્ષથી બંધ તાજમહેલ આજે ફરીથી ખોલવામાં આવ્યો છે. પહેલા લોકડાઉન દરમિયાન ૧૭ માર્ચ-ર૦ર૦ થી તાજને રાત્રીના સમયે મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવેલ. ર૧,ર૩ અને ર૪ ઓગસ્ટના રાત્રી મુલાકાત માટે અનુમતી આપવામાં આવી છે. પર્યટકો આ નિર્ણયથી ખુબ જ ઉત્સાહીત છે.
(1:01 pm IST)