મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

પાક, ચીન, તાલિબાન ભારત પર હુમલો કરશે : સ્વામી

ભારતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.અશરફ ગનીને અહીં રહેવા આમંત્રણ આપવું જોઇએ

નવી દિલ્હી,તા. ૨૧: હાલમાં ભાજપના પાર્ટી નેતૃત્વથી નારાજ ચાલી રહેલા દિગ્ગજ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારને અફઘાનિસ્તાન મુદ્દે એક વણમાગી સલાહ આપી છે તેમણે ટવીટ કરીને મોદી સરકારને કહ્યુ હતુ કે તાલિબાન રાજની સ્થાપના થતા અફઘાનિસ્તાન છોડી ચૂકેલા સંયુકત આરબ અમિરાતમાં શરણુ લેનારા રાષ્ટ્રપતિ અશરફ ગનીને વાસ્તવમાં ભારતે શરણું આપવું જોઇએ. એના પાછળ તેમણે દૂર ગામી કયાસોને આધાર બનાવ્યો છે. આ પહેલા સ્વામીએ અફઘાનિસ્તાન પર તાલિબાન રાજની સ્થાપના થતા ભવિષ્યવાણી કરતા કહ્યુ હતુ કે હવે ચીન, પાકિસ્તાન અને તાલિબાન એક સાથે મળીને ભારત પર હુમલા કરશે.

અફઘાનિસ્તાન પર રવિવારે તાલિબાન રાજ આશરે બે દાયકા પછી પરત ફરવા ભારતે મોટા મૂડીરોકાણને લઇને તમામ પ્રકારની અટકળોને જન્મ આપ્યો છે. એક તરફ વિપક્ષ જ્યાં મોદી સરકારની અફઘાનિસ્તાનને લઇને વિદેશ નીતિ જાણવાનો આગ્રહ કરી રહી છે, જ્યારે બીજી તરફ મોદી સરકાર થોભો અને રાહ જુઓની નીતિ અખત્યાર કરીને વિશ્વના અન્ય લોકતાંત્રિક દેશોના આગામી પગલાની રાહ જોઇ રહી છે. પાકિસ્તાન સહિત ચીન તાલિબાન રાજને એક બાજુ માન્યતા આપી ચૂકયા છે. રશિયા પણ કુણું વલણનો સંકેત આપ્યો છે.

સ્વામીએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, ભારતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.અશરફ ગનીને અહીં રહેવા આમંત્રણ આપવું જોઇએ. તાલિબાન અમેરિકાએ બનાવેલા હથિયારોની સાથે પાક અધિકૃત કાશ્મીરમાં ઘૂસણખોરી કરશે. તે ભારતને ભવિષ્યમાં પ્રવાસી અફઘાન સરકાર બનાવવામાં મદદ કરશે. સ્વામી હમણાં-હમણાં મોદી સરકાર પણ ટોણો મારતા રહ્યા છે.

(10:15 am IST)