મુખ્ય સમાચાર
News of Saturday, 17th October 2020

મહિલાએ યુવકને ચપ્પુના ૨૫ ઘા મારીને પતાવી દીધોઃ પોલીસને ફોન કરીને કહ્યું: બળાત્કારીને મારી નાખ્યો

ન કોઈ ફરિયાદ, ન કોઈ કાયદાકીય કાર્યવાહી, સ્થળ પર જ ફેંસલો

ભોપાલ, તા.૧૭: ન કોઈ ફરિયાદ, ન કોઈ બીજી કાયદાકીય કાર્યવાહી. સ્થળ પર જ ફેંસલો કરી દીધો! કેસ મધ્ય પ્રદેશના ગુના શહેરનો છે. અહીં એક મહિલાએ દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગથી કંટાળીને એક યુવકની હત્યા કરી નાખી હતી. આરોપ છે કે મહિલા કથિત આરોપીથી એટલી પરેશાન થઈ ગઈ હતી કે તેને ચાકુના ૨૫ વાર કરીને મારી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં હાથરસના બનાવ બાદ દેશમાં મહિલાઓ સામે થઈ રહેલા અત્યાચાર મામલે આક્રોશ ફેલાયો છે. દેશમાં મહિલા પર અત્યાચારની દરરોજ અનેક ઘટનાઓ સામે આવતી રહી છે.

મહિલાનો આરોપ છે કે તેણી સગીર હતી ત્યારથી આ યુવક તેના પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો. વર્ષ ૨૦૦૫થી તેણીનું શારીરિક શોષણ કરવાની શરૂઆત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવકનું નામ બૃજભૂષણ શર્મા છે અને તે અશોકનગર જિલ્લાનો રહેવાશી છે. આરોપી મહિલા આ જ વિસ્તારની રહેવાશી છે. મહિલાના જણાવ્યા પ્રમાણે જયારે તેણી ૧૬ વર્ષની હતી ત્યારે બૃજભૂષણે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યાર પછી પણ અનેક વખત ડરાવી અને ધમકાવીને તેની સાથે બળજબરી કરી હતી. બાદમાં મહિલાએ એક શિક્ષક સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ લગ્ન પછી પણ બૃજભૂષણે તેનો પીછો છોડ્યો ન હતો.

(2:49 pm IST)