મુખ્ય સમાચાર
News of Monday, 20th September 2021

કેનેડામાં રહેતા સુરતના ત્રણ સહિત પાંચ યુવાનોએ ગણપતિ બપ્પાની સ્થાપના કરી

વેન્કુવર શહેરમાં બાપ્પાની સ્થાપના કરી દસ દિવસ પૂજા-અર્ચના કર્યા બાદ દરિયામાં વિસર્જન કરાયું

કેનેડામાં રહેતા સુરતના ત્રણ સહિત પાંચ ગુજરાતી યુવાનોએ ગણપતિ બપ્પાની સ્થાપના કરી હતી. ત્રણ વર્ષ પહેલાં કેનેડામાં સેટ થયેલા ભીમપોરના દિશંત પટેલને સુરતના ગણેશોત્સવની યાદ આવતી હતી, તેથી, મિત્રોએ વેન્કુવર શહેરમાં બાપ્પાની સ્થાપના કરી હતી. દસ દિવસ પૂજા-અર્ચના કર્યા બાદ દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

(1:06 pm IST)