News of Thursday, 19th May 2022
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગના ખૂની નાલા ખાતે નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટ્યો :6 થી 7 લોકો ફસાયા હોવાની આશંકા
જમ્મુ અને કાશ્મીર | રામબનના માકેરકોટે વિસ્તારમાં દુર્ઘટના :એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો :રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના રામબનના માકેરકોટે વિસ્તારમાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગના ખૂની નાલા ખાતે નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 6 થી 7 ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે, મળતી વિગત મુજબ એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો, હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે તેમ રામબન ડેપ્યુટી કમિશનર જણાવી રહ્યા છે
(1:16 am IST)