રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાનો ફૂંફાડો યથાવત: આજે 69 મોત
સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે 68 પૈકી 16 કોવીડ ડેથ
રાજકોટ: શહેર - જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગઇકાલે 68 મોત નોંધાયા બાદ આજે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ 69નો ભોગ લીધો છે .
આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા .17નાં સવારના ૮ વાગ્યા થી આજે તા.18 સવારના ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જીલ્લાના 69 દર્દીઓના મોત નિપજ્યા હતા .
ગઇકાલે 68 પૈકી 16 મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યું હતું.
નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો 500ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે . કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે . જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય .
દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિલ હોસ્પિટલમાં 69 દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે .