News of Thursday, 17th September 2020
એનડીએમાં તડા ? અકાલી દળના હરસિમરત કૌર બાદલે મોદી પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું
નવી દિલ્હી: ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએમાં કૃષિ સંબંધિત બિલને લઇને મનદુઃખ સર્જાય છે. કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ પ્રધાન હરસિમરત કૌર બાદલ મોદી સરકારમાં અકાલી દળની એકમાત્ર પ્રતિનિધિ છે. અકાલી દળ ભાજપનો સૌથી જૂનો સાથી રહ્યો છે.
આ અગાઉ શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંઘ બાદલે લોકસભામાં કહ્યું હતું કે સંસદમાં લાવવામાં આવેલા કૃષિ બીલોના વિરોધમાં પાર્ટીના નેતા અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલ કેન્દ્રની મોદી સરકારમાંથી રાજીનામું આપશે.
(9:03 pm IST)